Abtak Media Google News

સુત્રાપાડા

પવિત્ર શ્રવણમાસની શરૂઆત થયી ચૂકી છે ત્યારે વિવિધ અવસર ઉજવવામાં આવે તેવા સમયે ભગવાન શિવની પુજા અને ભક્તિમાં લોકો લીન થયા છે. આ અવસરને વધુ ભક્તિમય બનાવવા માટે વેરાવળ પાટણ બ્રહ્મ સમાજ દ્વારા આરાધ્ય દેવ પરશુરામ ભગવાન અને પ્રથમ જ્યોતિ લિંગ સોમનાથ મહાદેવની ધ્વજારોહણ પ્રસંગનું આયોજન કરાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ટ્રસ્ટી છેલભાઇ જોષી તથા ગીર સોમનાથ જિલ્લાના નવનિયુકત પ્રમુખ તુષારભાઈ પંડ્યા, વેરાવળ પાટણ નગરપાલિકા ઉપપ્રમુખ કપિલ મહેતા વેરાવળ શહેર પ્રમુખ ભરત જોશીએ ભાગ લીધો હતો.

આ ઉપરાંત પાટણ સોમપુરા બ્રહ્મ સમાજના નવનિયુકત પ્રમુખ હેમલ ભટ્ટ તથા મિલન જોશી, રીતેશ પંડ્યા પ્રદીપ મહેતા દિનેશ જોશી ગૌતમ રાજ્યગુરુ કેતન પંડ્યા, વિજય જાની, પરેશ ભટ્ટ તથા ભરત પંડયા તથા સુત્રાપાડા તથા તાલલાના બ્રહ્મ આગેવાનો હર્ષદ જોશી વગેરે હજાર રહ્યા હતા.

આ શુભ આવસરે વેરાવળ શહેરના યુવા પ્રમુખ ભાર્ગવભાઈ દવે યુવા ઉપપ્રમુખ  ધ્યેયભાઈ મહેતા મહામંત્રી કલ્પેશ જાની જિલ્લા મહિલા પાંખ પ્રમુખ નીપા પુરોહિત તથા ધારા જોશી તથા સેંકડોની સંખ્યામા બ્રહ્મ પરિવારો હાજર રહી અને ધ્વજારોહણ કાર્યકમ સફળતા પૂર્વક ઉજવણી કરી.

રામસિંહ મોરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.