Abtak Media Google News
જેતપુર પંથકમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.ત્યારે તાજેતરમાં જ મોરબીમાં રહેતી અને કેટરર્સનો વ્યવસાય કરતી મહિલા ઉપર રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા ઈકો કાર ચાલકે વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ જેતપુરના વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.વિરપુરની હોટલમાં બળાત્કારનો ભોગ બનેલ મોરબીની પરણિત મહિલાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે રાજકોટના ઈકો કારના ડ્રાઈવર જીગ્નેશ ઉર્ફે ગોપાલ સરપદડીયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીએ મહિલા સાથે વિરપુરની હોટલમાં બળાત્કાર ગુજાર્યો હોવાથી પોલીસે આરોપી સામે બળાત્કાર તેમજ એસ્ટ્રોસીટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.ત્યારે પોલીસ તપાસમાં આરોપીએ મહિલાને વિરપુર ઉપરાંત પોરબંદર,ચોટીલા,બહુચરાજી,અજમેર સહિતના સ્થળોએ લઈ જઈને વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.