રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દાઉદી વ્હોરા સમાજમાં ચાલતી ટીફીન યોજના આગામી દિવસોમાં ચાર માસ જેટલા સમયગાળામાંથી બંધ હતી તે યોજના અંગે લીલી ઝંડી મળતા બે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના ગામે ગામના બહુધા વ્હોરા વરવાટવાળા ગામે શરુ થાય તે અંગે તડામાર તૈયારી થઇ રહી છે. વિચાર વ્યવહાર અને વેપારમાં જબરુ કાંઠુ કાઢનાર દાઉદી વ્હોરા સમાજમાં છેલ્લા નવ વર્ષથી દેશ અને દુનિયામાં સમાજના પ્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાહીક આલીકદર મુફદલ સૈફૂદીનની સીધી દેખરેખ હેઠળ ચાલતી ફૈઝ ઉલ મવાઇદ અલ બુરહાનીયાના નામથી ચાલતી ટીફીન સર્વીસ દરરોજ દરેક ગામોના અમીર ગરીબ દરેક વર્ગના વ્હોરા સમાજના ઘેર ઘેર બપોરે એક ટંકનું ભોજન પહોચાડે છે. પણ કોરોના વાઇરસની મહામારીને કારણે છેલ્લા ચાર માસથી વધુ સમય આ સર્વીસ બંધ હતી પણ હવે કેટલાક રાજયોમાં સરકારે અનલોક કરતા સૌરાષ્ટ્રના રાજકોટ મહુવા, જસદણ, ઉપલેટા, વિસાવદર, જામનગર, અમરેલી, ભાવનગર, જસદણ, બોટાદ, મોરબી, વાંકાનેર, જેતપુર, જુનાગઢ જેવા અનેક ગામોમાં આ ટીફીન યોજના શરુ થશે આ માટે સૈયદના સાહેબે ની રજા મળે છે. અત્રેએ નોંધનીય છે કે દાઉદી વ્હોરા સમાજના ઘેર દરરોજ આવતા આ ટીફીન ભોજનને કારણે અનેક ઘરોમાં રાહત છે. જે બુર્ઝુગો છે ગરીબો છે તેમને માટે રાહતરુપ છે.
Trending
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
- સ્કૂટર માં પણ હવે સીએનજી : ક્રૂડ પરનું ધારણ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન્ટ
- બ્રિટનના પૂર્વ વડાપ્રધાનને મતદાન મથકેથી લીલા તોરણે પાછા વાળી દેવાયા!!