Abtak Media Google News

વઢવાણની સંતોષ પાર્ક સોસાયટીમાં આવેલી ગટરના ઘણા ઢાંકણા તૂટી ગયેલ છે ત્યારે ગંદા પાણીથી ભરેલી ગટર સાફ કરી વહેલી તકે તેના ઢાંકણા નાખવા અંગે એડવોકેટ ડી.કે. વાઘેલા તથા સોસાયટીના રહીશોએ વઢવાણ ડેપ્યુટી કલેકટરને લેખીત રજુઆત કરી છે.રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે, સંતોષપાર્ક સોસાયટી શેરી નં.ર માં સિઘ્ધાર્થ છાત્રાલયની બાજુમાં આવેલ સોસાયટીમાં રહેણાંક મકાનની સામે ગંદા પાણીની ગટરનું ઢાકણું છેલ્લા છ માસથી તુટી ગયેલ છે. અને હાલ આ ગટર ખુલ્લી પડેલ છે. આ બાબતે અવાર નવાર વઢવાણ નગરપાલિકાના ગટરના કોન્ટ્રાક રાખનાર ને રજુઆતો કરેલ છે. છતાં પણ ગટરના ઢાંકણા નાખતા નથી કે સાફ પણ કરતા નથી. છેલ્લા ઘણા સમયથી ગટર ખુલ્લી પડેલ હોવાથી ઘણી વખત કુતરા તથા ભુંડણાઓ પડી ગયેલ છે. હાલ ચોમાસાનો સમય હોવાથી ગંદા પાણીની ગટર ખુલ્લી હોવાના કારણે ખરાબ દુર્ગધ આવે છે. ઘરમાંથી બહાર પણ નીકળી શકાતું નથી. અને બીમાર પડવાની શકયતાઓ રહેલી છે તથા રોગચાળો પણ ફેલાય તેમ છે. ત્યારે વહેલી તકે ખુલ્લી ગટર સત્વરે સાફ કરી ઢાંકણાથી ઢાંકી આપવા રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.