વઢવાણની સંતોષ પાર્ક સોસાયટીમાં આવેલી ગટરના ઘણા ઢાંકણા તૂટી ગયેલ છે ત્યારે ગંદા પાણીથી ભરેલી ગટર સાફ કરી વહેલી તકે તેના ઢાંકણા નાખવા અંગે એડવોકેટ ડી.કે. વાઘેલા તથા સોસાયટીના રહીશોએ વઢવાણ ડેપ્યુટી કલેકટરને લેખીત રજુઆત કરી છે.રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે, સંતોષપાર્ક સોસાયટી શેરી નં.ર માં સિઘ્ધાર્થ છાત્રાલયની બાજુમાં આવેલ સોસાયટીમાં રહેણાંક મકાનની સામે ગંદા પાણીની ગટરનું ઢાકણું છેલ્લા છ માસથી તુટી ગયેલ છે. અને હાલ આ ગટર ખુલ્લી પડેલ છે. આ બાબતે અવાર નવાર વઢવાણ નગરપાલિકાના ગટરના કોન્ટ્રાક રાખનાર ને રજુઆતો કરેલ છે. છતાં પણ ગટરના ઢાંકણા નાખતા નથી કે સાફ પણ કરતા નથી. છેલ્લા ઘણા સમયથી ગટર ખુલ્લી પડેલ હોવાથી ઘણી વખત કુતરા તથા ભુંડણાઓ પડી ગયેલ છે. હાલ ચોમાસાનો સમય હોવાથી ગંદા પાણીની ગટર ખુલ્લી હોવાના કારણે ખરાબ દુર્ગધ આવે છે. ઘરમાંથી બહાર પણ નીકળી શકાતું નથી. અને બીમાર પડવાની શકયતાઓ રહેલી છે તથા રોગચાળો પણ ફેલાય તેમ છે. ત્યારે વહેલી તકે ખુલ્લી ગટર સત્વરે સાફ કરી ઢાંકણાથી ઢાંકી આપવા રજુઆત કરવામાં આવી છે.
Trending
- એ એ એ…ધડામ, બંગાળના CM ફરી એકવાર ઘાયલ થયા
- સુરત : કાપોદ્રા પોલીસ દ્વારા ગેસ રિફિલિંગ કરનારા ઇસમોની ધરપકડ
- સુરત: મિત્રતા બની મોતનું કારણ
- CID ક્રાઇમનો PSI રૂ. 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયો
- માળામાં ” 108 ” મણકાનું રહસ્ય શું ?
- કતખાનામાં પશુઓ ઉપર થતી ક્રૂરતા રોકવા NGOનો હાઇકોર્ટમાં ઘા
- આપઘાત કરી રહેલી માતાનો સાત વર્ષની બાળાએ જીવ બચાવ્યો !!!
- સુરેન્દ્રનગરના પાટડી ઘુડઘર અભ્યારણમાં ‘ઝરખ’ દેખા દીધી