Abtak Media Google News

કણકોટના ત્રણેય વ્યક્તિઓ પર એક શખ્સ લાકડી વડે તૂટી પડ્યો

વાંકાનેરના કણકોટ ગામે રહેતા મહિલા સહિત ત્રણ વ્યક્તિ સિંધાવદર ગામ પાસે હતા ત્યારે એક શખ્સે ઝઘડો કરી લાકડી વડે માર માર્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મહિલા સહિત ત્રણેયને ઇજા થતાં તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર કણકોટ ગામે રહેતા આનંદકુમાર રાજવીર મહંતો (ઉ.વ.૨૨), શૈલેન્દ્ર રોસપાન મહંતો (ઉ.વ.૨૫) અને રંજન બીજો ચૌહાણ (ઉ.વ ૨૫) નામના ત્રણેય વ્યક્તિ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં સિંધાવદર ગામ પાસે હતા ત્યારે કાનાભાઈ નામના શખ્સે ઝઘડો કરી લાકડી વડે માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા મહિલા સહિત ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે જાણ થતાં પોલીસનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.