Abtak Media Google News

વરરાજાની હરકતથી ગુસ્સે ભરાયેલી કન્યાએ પોલીસ પણ બોલાવી લીધી !!

ઉત્તર પ્રદેશના સંભલમાં એક ક્ધયાએ તેના લગ્ન રદ કર્યા કારણ કે વર્માલા દરમિયાન વરરાજાએ તેને સ્ટેજ પર ચુંબન કર્યું હતું. લગભગ 300 મહેમાનોની હાજરીમાં વરરાજાના આ કૃત્યથી દુલ્હનને ઘણો ગુસ્સો આવ્યો અને તેણે આ ’સરપ્રાઈઝ કિસ’ માટે લગ્ન તોડી નાખ્યા.  સ્ટેજ પરથી ઉતર્યા બાદ ક્ધયાએ પોલીસને પણ બોલાવી લીધી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દુલ્હનને લગ્ન માટે ઘણી સમજાવી પરંતુ તે તેના માટે તૈયાર ન થતા ક્ધયાની આ જીદ સામે પરિવારને ઝુકવું પડ્યું અને જાન લીલા તોરણે પાછી ફરી ગઈ.

અહેવાલ મુજબ 23 વર્ષની યુવતી જે ગ્રેજ્યુએટ છે. તેણે કહ્યું છે કે, વરરાજાએ તેના મિત્રો સાથે શરત લગાવી હતી કે તે ક્ધયાને સ્ટેજ પર જ ચુંબન કરશે. આ હરકત બાદ તેને વરરાજાના ચારિત્ર્ય પર શંકા થવા લાગી હતી. જેના પછી લગ્ન રોકી દેવામાં આવ્યા અને મહેમાનો તેમના ઘરે પરત ફર્યા હતા.  જોકે, પોલીસે આ લગ્ન કરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્ધયા તેના માટે તૈયાર નહોતી.  લગ્ન મુલતવી રાખ્યા બાદ પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.

અહીં યુવતીએ પોલીસને કહ્યું, ’જ્યારે અમે સ્ટેજ પર હતા ત્યારે તે મને અયોગ્ય રીતે સ્પર્શ કરી રહ્યો હતો.  મેં આ વાતને નજરઅંદાજ કરી પણ પછી તેણે જે કર્યું તેની મને અપેક્ષા નહોતી. તેણે બધા મહેમાનોની સામે મને ચુંબન કર્યું. વરરાજાના આ કૃત્યથી હું ચોંકી ગઈ હતી અને મહેમાનોની હાજરીમાં હું અપમાનિત થઈ હતી. વરરાજાએ મારા આત્મસન્માનની પરવા ન કરી અને બધાની સામે આવું વર્તન કર્યું. જો તેનું વર્તન અત્યારે આવું છે તો તે ભવિષ્યમાં શું કરશે?  પછી મેં તેની સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો.

છોકરીની માતાએ કહ્યું, ’મારા ભાવિ જમાઈને તેના મિત્રોએ આવું કરવા માટે ઉશ્કેર્યો હતો. હવે મારી પુત્રી તેની સાથે લગ્ન કરવા માંગતી નથી. અમે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે તૈયાર ન થઈ. અમે તેને થોડો સમય આપવાનું નક્કી કર્યું છે. એસએચઓ પંકજ લાવાણિયાએ જણાવ્યું હતું કે તકનીકી રીતે યુગલ પરિણીત માનવામાં આવશે કારણ કે ઘટના બની ત્યાં સુધીમાં લગ્નની વિધિઓ થઈ ચૂકી હતી. હવે યુવતીએ વરને નકારી કાઢ્યો છે. થોડા દિવસો રાહ જોયા પછી અમે જોઈશું કે તેના વિશે શું કરી શકાય છે.આ સિઝનમાં લગ્ન તૂટવાનો આ પહેલો કિસ્સો નથી.  તાજેતરમાં શાહજહાંપુર અને લખીમપુર ખેરીમાં બે લગ્ન થઈ શક્યા નથી કારણ કે અહીંના વરરાજાએ જાનમાં  ’નાગીન ડાન્સ’ કરવાનું શરૂ કર્યું હતું.

વરરાજાની હરકતથી ક્ધયાને ચારિત્ર્ય પર શંકા થવા લાગી !!

અહેવાલ મુજબ 23 વર્ષની યુવતી જે ગ્રેજ્યુએટ છે. તેણે કહ્યું છે કે, વરરાજાએ તેના મિત્રો સાથે શરત લગાવી હતી કે તે ક્ધયાને સ્ટેજ પર જ ચુંબન કરશે. આ હરકત બાદ તેને વરરાજાના ચારિત્ર્ય પર શંકા થવા લાગી હતી. જેના પછી લગ્ન રોકી દેવામાં આવ્યા અને મહેમાનો તેમના ઘરે પરત ફર્યા હતા.  જોકે, પોલીસે આ લગ્ન કરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્ધયા તેના માટે તૈયાર નહોતી.  લગ્ન મુલતવી રાખ્યા બાદ પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.

જેને મારા આત્મસન્માનની પરવા ન હોય તેની સાથે લગ્ન કેમ કરી શકું ?: ક્ધયા

યુવતીએ પોલીસને કહ્યું, ’જ્યારે અમે સ્ટેજ પર હતા ત્યારે તે મને અયોગ્ય રીતે સ્પર્શ કરી રહ્યો હતો.  મેં આ વાતને નજરઅંદાજ કરી પણ પછી તેણે જે કર્યું તેની મને અપેક્ષા નહોતી. તેણે બધા મહેમાનોની સામે મને ચુંબન કર્યું. વરરાજાના આ કૃત્યથી હું ચોંકી ગઈ હતી અને મહેમાનોની હાજરીમાં હું અપમાનિત થઈ હતી. વરરાજાએ મારા આત્મસન્માનની પરવા ન કરી અને બધાની સામે આવું વર્તન કર્યું. જો તેનું વર્તન અત્યારે આવું છે તો તે ભવિષ્યમાં શું કરશે?  પછી મેં તેની સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.