Abtak Media Google News

બોલીવુડની જાણીતી અભિનેત્રી કંગના રનૌત ફરી એક વખત ચર્ચામાં આવી ગઇ છે. આ વખતે કંગનાની ચર્ચા કોઇ વિવાદને લઇને નહી પરંતુ તેને ખરીદેલા એક નવા ઘરને લઇને થઇ રહી છે. કંગનાએ મુંબઇના બ્રાંદ્રાના પાલી હિલમાં એક નવો બંગલો ખરીદ્યો છે.

નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કંગના પોતાના આ બંગલાનો ઉપયોગ પોતાના પ્રોડક્શન હાઉસ માટે કરવાની યોજના બનાવી રહી છે. નહિં કે રહેવા માટે કંગનાના પ્રવક્તા અનુસાર કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મસના કાર્યાલયના રુપમાં આ બંગલાનો ઉપયોગ કરવામાં આવશે. નરગિસ દત્ત રોડ પર  આવેલા આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ ફ્લોર છે. જેની કિંમત ૨૦.૭ કરોડ રુપિયા છે. અને તેનુ રજીસ્ટ્રેશન સપ્ટેમ્બરમાં કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આજકાલ કંગના ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ધ ઝાંસી ’ ના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના જીવન પર આધારિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.