Abtak Media Google News

આજે ગઝલ ગાયક મનહર ઉધાસના ૩૩માં આલ્બમ ‘આરાધના’નું લોન્ચીંગ: હું જયાં પણ છું તેમાં રાજકોટનો સંપૂર્ણ ફાળો: મનહર ઉધાસ સો ‘અબતક’ની વિશેષ મુલાકાત

મશહુર ગઝલ ગાયક મનહર ઉધાસ બચપણ યાદ કરવા ફરીથી રાજકોટના આંગણે પધાર્યા છે. તેઓએ નાનપણને યાદ કરવા રાજકોટ આવતા હોવાનું ‘અબતક’ સોની વિશેષ મુલાકાતમાં કબુલ્યું હતું. તેમણે રાજકોટ સો પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.

આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી ફૂલછાબ અને માનવ સેવા ટ્રસ્ટના ઉપક્રમે રાત્રે ૯ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ રૈયા રોડ ખાતે મનહર ઉધાસની ૩૩માં ગુજરાતી ગઝલ સંગ્રહ આરાધનાનું લોન્ચીંગ થશે. આ તકે તેમણે પોતાના આલબમની વિગતો આપતા કહ્યું હતું કે, આલબમમાં ગઝલ, નઝમ અને ગીત છે. નામાંકીત શાયરોની કૃતિઓ આલબમમાં છે. તેમણે કહ્યું હતું કે, બહેને ભાઈ માટે ગીત ગાયું હોય તેવા અનેક ગીતો છે પરંતુ મારા આલબમમાં ‘હેતમાં જેના મને ર્માં ની છબી મળી છે, પવિત્ર પ્રેમના રૂપે મને બહેન મળી છે’ ગીત ભાઈએ બહેન માટે ગાયું હોય તેવી કૃતિ છે.

તેમણે ઉમેર્યું હતું કે, આલબમમાં અર્જૂન રાહી સહિતના સર્જકોની કૃતિઓ આલબમમાં છે. હું હમેશા કંઈક નવું અને ઉત્તમ કક્ષાનું આપવાનો પ્રયાસ કરું છું. રાજકોટનો છું એટલે રાજકોટથી મારૂ આલબમ રીલીઝ થાય તેવું મારી ઈચ્છા હતી જે આજે પૂર્ણ ઈ રહી છે. હું જયાં પણ છું તેમાં રાજકોટનો સંપૂર્ણ ફાળો છે.

મનહર ઉધાસે મહિલાઓ સામે તથા ગુના અંગે કહ્યું હતું કે, માતા-પિતાના સંસ્કારોમાં ઓઠ આવી હોવાથી આજકાલ મહિલાઓ સામે ગુના વધતા જાય છે.

મશહુર ગઝલ ગાયક મનહર ઉધાસ બચપણ યાદ કરવા ફરીથી રાજકોટના આંગણે પધાર્યા છે. તેઓએ નાનપણને યાદ કરવા રાજકોટ આવતા હોવાનું ‘અબતક’ સોની વિશેષ મુલાકાતમાં કબુલ્યું હતું. તેમણે રાજકોટ સો પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.

આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી ફૂલછાબ અને માનવ સેવા ટ્રસ્ટના ઉપક્રમે રાત્રે ૯ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ રૈયા રોડ ખાતે મનહર ઉધાસની ૩૩માં ગુજરાતી ગઝલ સંગ્રહ આરાધનાનું લોન્ચીંગ થશે. આ તકે તેમણે પોતાના આલબમની વિગતો આપતા કહ્યું હતું કે, આલબમમાં ગઝલ, નઝમ અને ગીત છે. નામાંકીત શાયરોની કૃતિઓ આલબમમાં છે. તેમણે કહ્યું હતું કે, બહેને ભાઈ માટે ગીત ગાયું હોય તેવા અનેક ગીતો છે પરંતુ મારા આલબમમાં ‘હેતમાં જેના મને ર્માં ની છબી મળી છે, પવિત્ર પ્રેમના રૂપે મને બહેન મળી છે’ ગીત ભાઈએ બહેન માટે ગાયું હોય તેવી કૃતિ છે.

તેમણે ઉમેર્યું હતું કે, આલબમમાં અર્જૂન રાહી સહિતના સર્જકોની કૃતિઓ આલબમમાં છે. હું હમેશા કંઈક નવું અને ઉત્તમ કક્ષાનું આપવાનો પ્રયાસ કરું છું. રાજકોટનો છું એટલે રાજકોટથી મારૂ આલબમ રીલીઝ થાય તેવું મારી ઈચ્છા હતી જે આજે પૂર્ણ ઈ રહી છે. હું જયાં પણ છું તેમાં રાજકોટનો સંપૂર્ણ ફાળો છે.

મનહર ઉધાસે મહિલાઓ સામે તથા ગુના અંગે કહ્યું હતું કે, માતા-પિતાના સંસ્કારોમાં ઓઠ આવી હોવાથી આજકાલ મહિલાઓ સામે ગુના વધતા જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.