Abtak Media Google News

પતિ, પત્નિ અને વો નો કરૂણ અંજામ

બિમારીથી બોલી ન  શકતા પ્રૌઢની પત્ની સાથે મોબાઈલમાં વાતચીત  દરમિયાન  પ્રેમના અંકુર ફૂટયા: પ્રેમમાં આડખીલી રૂપ બનતા મોતને ઘાટ ઉતારી મૃતદેહને ફેંકી દીધો

ઘરેથી નીકળ્યા બાદ પતિ  પરત નહીં આવ્યાના ડ્રામા રચ્યા: પોલીસે પત્નીનો મોબાઈલ ચેક કરતા  હત્યાનો ભેદ ઉકેલાયો: પ્રેમ લગ્ન કરનાર યુવકના મોતથી બે સંતાનને પિતાની છત્રછાયા ગુમાવી

પતિ પત્ની વચ્ચે જ્યારે વો આવે છે, ત્યારે દાંપત્ય જીવનમાં અનેક ખેલ અને પેતરા રચાય છે…. આવી જ એક ઘટના જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના વિરડી ગામેથી સામે આવી છે, જેમાં પ્રેમ લગ્ન કરનાર પત્નીએ જ તેના પ્રેમી સાથે મળી પોતાના પત્નીની હત્યા કરી આ હત્યાને અકસ્માતમાં ખપાવવા પેતરા રચ્યા હતા. પરંતુ પોલીસને શંકા જતા આદરેલી ઝીણવટ ભરી તપાસમાં પત્ની અને તેના પ્રેમી વચ્ચે આડ ખીલી રૂપ પતિની હત્યા કરવા માં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આ ઘટનામાં પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટીના જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના વિરડી ગામે 40 વર્ષીય ભાવેશ પરમારની પાંચ દિવસ અગાઉ એક પુલ નીચેથી લાશ મળી હતી અને પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના અકસ્માતની હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા આ અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે આ દિશામાં તપાસ આદરી હતી.

જે દરમિયાન પોલીસને શંકા જતા પોલીસે મરણ જનારા ભાવેશ પરમારની પત્ની સુધાની પૂછપરછ અને તપાસ કરી હતી અને તેનો મોબાઇલ તપાસતા તેમાંથી શંકાસ્પદ ફોટો મળી આવતા  પત્નીએ જ તેના પતિની હત્યા કરી હોવાની શંકા દ્રઢ બની હતી, અને પોલીસે સુધાની યુક્તિ પ્રકૃતિથી પૂછપરછ કરતા પત્ની સુધા ભાંગી પડી હતી અને તેણીએ તેના પ્રતિ સાથે મળી તેના પતિની હત્યા કરી હોવાનું પોલીસને નિવેદન આપ્યું હતું.

આ ઘટનાના ઊંડાણમાં જઈએ તો 2011 માં ભીલડી ગામના ભાવેશ પરમાર એ સુધા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને બે સંતાનો પણ છે. ભાવેશ જમીનની લે વેચ કરતો હતો પરંતુ તે દરમિયાન તેને મોઢાનો કેન્સર થતાં તેમને ઓપરેશન કરાવવું પડ્યું હતું અને તેના કારણે તેને બોલવામાં તકલીફ પડતી હતી. તે દરમિયાન ભાવેશની આંબલગઢ ગામે  જમીન આવી હતી જે વેચવાની હતી તેના માટે અમરાપુર ગામના ભરત વાઢીયા સાથે આ જમીને અંગે વાતચીત ચાલતી હતી. તે દરમિયાન ભરત ભાવેશ પરમાર ની પત્ની  સાથે ટેલીફોનીક ચર્ચા કરતી હોવાથી સુધા ભારત સાથે સંપર્કમાં આવી હતી અને વાતો વાતોમાં બંને વચ્ચે પ્રેમ અંકુર ફુટ્યા હતા.

છેલ્લા એક વર્ષથી ચાલેલ ચાલી રહેલી પતિ – પત્ની ઔર વો પાછળની પ્રેમ કહાની બાદ હવે ભાવેશ આડ ખિલી રૂપ થઈ રહ્યો હોય જેનો કાટો કાઢવાનો બંને એ પેતરો રચ્યો હતો. અને બંનેએ સાથે મળી ભાવેશના જ ઘરમાં લાકડી તથા બોથડ પદાર્થ વડે ભાવેશને માર મારી હત્યા કરી નાખી હતી. બાદમાં આ હત્યા ને અકસ્માતમાં ખપાવવા માટે ભરત વાઢીયા મોટરસાયકલ ઉપર ભાવેશના મૃતદેહને લઈ ગયો હતો. અને ગામથી થોડે દૂર આવેલ પુલ ઉપરથી ચાલુ બાઈકમાં પોતે ઉતરી જઈ બાઈકને પુલ નીચે ફંગોળી ભાવેશના મૃતદેહ ને પુલ નીચે રાખી દેવામાં આવ્યો હતો.

બાદમાં સવારે પત્ની સુધાએ પોતાના પતિ રાત્રીના 11:00 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ હજુ પરત ન આવ્યા હોય તેવું પરિવારજનો તથા ગામ લોકોને જણાવતા ગામ લોકોએ ભાવેશની તપાસ આદરી હતી. તે દરમિયાનના પુલ નીચે એક મોટરસાયકલ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે આવી તપાસ કરતા બાઈક નજીક પુલ નીચે એક મૃતદેહ પડ્યો હતો. જે ભાવેશ પરમારનો હોવાનું સામે આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ કરનાર તબીબે આ યુવકનું મોત અકસ્માતથી નહીં પરંતુ બોથડ પ્રદાર્થ મારી હત્યા કરાઈ હોવાનું જણાવતા, પોલીસે આ બાબતે તપાસ આદરી હતી અને ગણતરીની કલાકોમાં જ માળિયા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલ નાખ્યો હતો. અને હત્યારી પત્ની સુધા પરમાર તથા તેના પ્રેમી અમરાપુરના ભરત વાઢીયા ની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આજથી બાર વર્ષે પહેલા પ્રેમ લગ્ન કરનારા અને બે સંતાનો સાથે ખુશી સભર જિંદગી જીવતા દંપતિ વચ્ચે એક “વો” આવી જતા એક પરિવાર વિખેરાયો છે, અને આ ઘટનામાં એક યુવકની હત્યા થઈ છે. જ્યારે તેના બે સંતાનો નિરાધાર બન્યા છે જેને લઇને માળિયા પંથકમાં હલચલ મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.