Abtak Media Google News

નગરજનોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતા ડો. જગદીશ ખોયાણી

સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાસ્થ્ય સંબંધી તમામ પ્રકારની ઈમરજન્સી સારવાર પુરી પાડતી રાજકોટની એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ દિવાળીના તહેવારો દરમ્યાન પણ રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે.

હૃદય રોગનો હુમલો, અકસ્માતના કેસો, ઝાડા ઉલ્ટીના કેસો, સખત તાવ આવવો વિગેરે દર્દોની તાત્કાલીક સારવારની જરૂર હોય તેવા દર્દીઓની સારવાર માટે હોસ્પિટલનાં ડોકટરો તેમજ સ્ટાફ સ્ટેન્ડ ટુ રહેશે. વોકહાર્ટ ઈમરજન્સી સર્વીસીઝના મો. ૭૪૦૫૧૭૪૦૫૧ છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી, સારવાર માટે ઉપરોકત નંબર ઉપર સંપર્ક કરવા વોકહાર્ટ હોસ્પિટલની એક યાદીમાં જણાવાયું છે. વિશેષમાં હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણીએ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ નાગરીકોનું વિક્રમ સવંત ૨૦૭૪નું આગામી વર્ષ ખૂબજ આરોગ્યમય, સુખ-શાંતી, સમૃધ્ધિ અને પ્રગતિ સાથે પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.