Abtak Media Google News

કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી દ્વારા પ્રથમ કુલપતિ પૂજય ડો.ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ગુરુપૂર્ણિમા નીમીતે કેમ્પસ ખાતે આવેલ સરસ્વતી મંદીર ખાતે સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ વિજયભાઇ દેશાણીની ઉપસ્થિતિમાં સરસ્વતી પુજન તેમજ ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

કાર્યક્રમના પ્રારંભે સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી દ્વારા સરસ્વતી મંદીર ખાતે પુજન તેમજ ગુરુવંદના કરવામાં આવેલ હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિ. ના પ્રથમ કુલપતિ પૂજય ડો. ડોલરરાય માંકડની પ્રતિમાનેે પુષ્પાંજલી  અર્પણ કરી મુખ્ય વહીવટી બિલ્ડીંગ ખાતે આવેલ માતા સરસ્વતીની પ્રતિમા પાસે સામુહિક પ્રાર્થના કરવામાં આવેલ હતી.

Work-Of-Sarasvati-Pujan-And-Guru-Devand-At-Saurashtra-University-Took-Place
work-of-sarasvati-pujan-and-guru-devand-at-saurashtra-university-took-place

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિ. ના કાર્યકારી કુલસચિવ રમેશ પરમાર, સીન્ડીકેટ સભ્યો ડો. જી.સી. ભીમાણી, ડો. પ્રફુલ્લબેન રાવલ ઉપરાંત ભવનોના અઘ્યક્ષ યુનિવર્સિૈટીના શૈક્ષણીક તેમજ બીન શૈક્ષણીક કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં વિવિધ ભવનોના વિઘાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.