Abtak Media Google News

લખતર પંકમાં ખેડૂતોએ વરસાદ નહિવત હોવાી નર્મદા કેનાલ પર મશીન મુકેલો છે તમે જ કેનાલમાંથી બકનળી દ્વારા પાણી લેતા હતા તે નળીઓ દરૂ કરવાનું નર્મદાનાં કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળે છે.

ઝાલાવાડમાં વરસાદ ઓછો પડતા વાવતરે કરેલ પાક પર ખતરો તોળાઇ રહ્યો છે. આવા સમયે ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તે માટે રાજય સરકારે કેનાલોમાં પાણી વહેતા કર્યા હતા. ત્યારે લખતર તાલકુામાં જયાં સીઝનનો સૌથી ઓછો ૧૪૮ મીમી એટલે કે ૬ ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે  લખતર પંકમાં ખેડૂતોએ પિયત માટે બકનળીઓ મૂકી નર્મદાની સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી પાણી લેવાનું શરૂ કર્યુહતુ. ત્યારે છેલ્લા થોડા દિવસોથી ઝરમર વરસાદ પડતાં જ ખેડૂતોની નળીઓ જેમની તમે કેનાલ પર હોવાી નર્મદા નિગમનાં કર્મચારીઓ દ્વારા આડેધડ પાઇપો દરૂ કરવામાં ખેડૂતોને તાં નુકશાની રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે લખતર તાલકુાનાં આદલસર ગામનાં ખેડૂતો દ્વારા હાલમાં પિયત માટે પાણી ન લેતા હોવા છતાં ત્યાં પડેલી નળીઓને કર્મચારીઓ દ્વારા દરૂ કરી નંખાતાં ખેડૂતોએ મુખ્ય કાર્યપાલક ઈજનેર, નર્મદા વિભાગ કડીને ઉદ્શીને દે લખીને પોતાને થતું નુકશાન રોકવા જણાવાયું છે. આ અંગે નર્મદા નિગમ સુરેન્દ્રનગર કચેરીમાં ફરજ બજાવતાં અધિક મદદનીશ ઇજનેર શશીકાતં મોડેસરાએ જણાવ્યું કે રજૂઆત મુજબ આગામી તા.૨૮-૮-૨૦૧૮ સુધીમાં બકનળીઓ દરૂ કરવા સમય આપ્યો છે. અને તા.૨૯-૮-૨૦૧૮ સુધીમાં ઉચ્ચઅધિકારી દ્વારા સૂચના નહીં મળે તો બકનળીઓ હટાવવામાં આવશે. અગાઉની કેનાલ પરી ખેડૂતો દ્વારા સ્વેચ્છાએ બકનળીઓ લઇ લેવામાં આવેલ હોઈ અમારે દરૂ કરવાની રહેતી નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.