Abtak Media Google News

ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતિ નિમિતે આજરોજ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રાજકોટ કલેકટર રેમ્યા મોહન, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોકડાઉનની અમલવારી વચ્ચે પણ પુષ્પાંજલી માટે પહોંચેલા કોંગ્રેસના વશરામભાઈ સાગઠીયા અને અશોકભાઈ ડાંગર સાથે પોલીસ કર્મચારીઓ વચ્ચે રકઝક થઈ હતી. ત્યારબાદ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.