Abtak Media Google News

સીગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરીયસ ટુ હેલ્થ, એટલે કે સીગરેટનું સ્મોકિંગ કરવાથી સ્વાસ્થ્ય બગડે છે. પરિવારમાં જો કોઇ વ્યક્તિ સ્મોકિંગ કરતુ હોય તો તેની આસપાસના વ્યક્તિને પણ સીગરેટના ધુવાડાથી નુકશાન થાય છે. પરંતુ એક સંશોધનમાં સામે આવેલી વાતથી તમે ચોંકી ઉઠશો તે નક્કી જ છે, સીગરેટ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે પરંતુ સીગરેટ પીધા બાદ તેનાં બચેલાં ઠુંઠા એ સ્વાસ્થ્યને સુરક્ષા પ્રદાન કરે છે છે ને ચોકાવનારી ખબર આવો જાણીએ વિસ્તૃત રીતે કે કેમ ઉપયોગી થાય છે આ સીગરેટના ઠુંઠા….?

Advertisement

અડધી વધેલી સીગરેટમાં નિકોટીન અને ઝેરી તત્વો રહેલાં હોય છે જે મેલેરિયાના મચ્છરની ક્ષમતા ઘટાડવામાં મદદરુપ થાય છે તેવું તમીલનાડુના વેલૂર શહેરની થિરુવલ્લુર યુનિવર્સિટીનાં એક્સપર્ટ દ્વારા કરાયેલાં અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યું છે બચેલી સીગરેટની ઠુંઠામાં સીલ્વરનું નેનોસ્ટ્રક્ચર મીક્સ કરવામાં આવે તો તેનાથી મચ્છરોની ઇંડા મુકવાની ક્ષમતાને અટકાવે છે જેથી મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ ઘટે છે અને મેલેરિયા થવાની સંભાવના પણ ઘટે છે તો જો ઘરમાં કોઇ સ્મોકિંગ કરે તો તેને જરુરથી અટકાવ તે પરંતુ સિગરેટના અટકાવવાનું ભુલતા નહિં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.