ગુજરાત સહિત દેશભરમાં પોતાના અસ્તિત્વ માટે જજુમી રહેલી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસને આજે રાજકોટમાં મરણતોલ ફટકો પડયો છે. સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન અને કદાવર કોંગી નેતા યુવરાજસિંહ સરવૈયા તથા રાજકોટના રાજવી પરીવારના હર્ષવર્ધનસિંહ પ્રહલાદસિંહ જાડેજાએ આજે કોંગ્રેસને અલવિદા કહી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલીની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ બન્નેને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શહેર કોંગ્રેસના મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીએ પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. જયારે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને ફટકા પડી રહ્યાં છે.
Trending
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે
- નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પૂર્વે એડવાન્સ ફી વસૂલતિ અમદાવાદની શાળાને નોટિસ
- મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે: 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
- વાંકડિયા વાળને ધોયા વિના પણ ફ્રેશ દેખાવ આપો
- ઈન્દોરમાં કોંગ્રેસના અક્ષય કાંતિ બામે ઉમેદવારી પાછી ખેંચી, પછી શું થયું એ જાણો અહી