Abtak Media Google News

ગુજરાત સહિત દેશભરમાં પોતાના અસ્તિત્વ માટે જજુમી રહેલી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસને આજે રાજકોટમાં મરણતોલ ફટકો પડયો છે. સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન અને કદાવર કોંગી નેતા યુવરાજસિંહ સરવૈયા તથા રાજકોટના રાજવી પરીવારના હર્ષવર્ધનસિંહ પ્રહલાદસિંહ જાડેજાએ આજે કોંગ્રેસને અલવિદા કહી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલીની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ બન્નેને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શહેર કોંગ્રેસના મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીએ પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. જયારે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને ફટકા પડી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.