કોરોના વાયરસની બીમારી સંદર્ભે સમગ્ર દેશભરમાં ૨૧દિવસના લોકડાઉન અન્વયે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ખાતરી આપી છે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. આજરોજ એફ.સી.આઈ. ગોડાઉન ખાતે ૨૧૨ મેટ્રિક ટન ઘઉં,૮૪મેટ્રિક ટન ચોખા નિગમના વિવિધ ગોડાઉન ખાતે પહોંચાડવામાં આવેલ છે,જ્યારે ૧૦ મેટ્રિક ટન પીડીએસ મીઠું રાજકોટ ગોડાઉન ખાતે આવી ગયુ છે. રાજકોટ જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમના બાર ગોડાઉનમાં ૪૫૩૯મેટ્રિક ટન ઘઉં,૨૪૯૯મેટ્રિક ટન ચોખા,૧૪૮મેટ્રિક ટન ખાંડ,૧૫ કિલોના સિંગતેલના ૧૫૨૪ડબ્બા,૧૮૪મેટ્રિક ટન ચણા દાળ,૪૪ ટન પીડીએસ મીઠું, આઈ.સિ.ડી.એસ. મીઠું ૧૨૮મેટ્રિક ટન ઉપલબ્ધ છે તેમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજાબેન બાવડા જણાવ્યું હતું. આશરે ૭ હજાર મેટ્રિક ટન ઘઉં તથા ચોખા નાણાં ભરપાઇ થઇ ગયા છે અને તેની પરવાનગી પણ મળી ગયેલ છે, અને બે મહિના ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે તેમ પણ બાવડાએ જણાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ