Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»2000ની નોટ: વાજતે-ગાજતે આવી અને ચૂપચાપ જતી રહેશે…!
National

2000ની નોટ: વાજતે-ગાજતે આવી અને ચૂપચાપ જતી રહેશે…!

By ABTAK MEDIA12/06/20234 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

જેમ મોત કરતા મોતનો ડર વધારે ડરામણો હોય છે તેમ નોટ બંધ થવા કરતા તે બંધ થવાનો ડર વધારે ડરામણો સાબિત થયો હતો. અગાઉ ઘણી વાર કહ્યા પ્રમાણે સરકારે રૂપિયા 2000 ની નોટ બંધ કરી નથી તેને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. અને આ વકતના સરકારનાં નિર્ણયની બજાર ઉપર કોઇ વિપરીત અસર જોવા મળી નથી. બધુ સરળતાથી પાર પડી રહ્યું છે. લોકો બજારમાં 2000 ની નોટ વાપરે છે, અથવા તો બેંકમાં જઇને ભરી આવે છે. જો બજારમાં વાપરી હોય તો દુકાનદાર બેંકમાં જઇને ભરી આવે છે.  19 મી મે એ સરકારે જાહેરાત કરી ત્યારબાદ 23 મી મે  થી બેંકોએ 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનું શરૂ કર્યુ ત્યારથી અત્યાર સુધીમાં અડધોઅડધ કરન્સી બેંકો પાસે આવી ગઇ છે, કોઇ જ જાતની લાઇનો, ભીડ, ઝઘડા કે તોડફોડ વગર.

RBI ના ગવર્નરે સત્તાવાર આંકડા જાહેર કરીને જણાવ્યું છે કે બે સપ્તાહનાં ટૂકા ગાળામાં ઘણી મોટી સફળતા જોવા મળી છે. જ્યારે જાહેરાત કરી ત્યારે 3.62 લાખ કરોડની 2000 ની ચલણી નોટ બજારમાં હતી જેમાંથી 1.80 લાખ કરોડની નોટ હાલમાં બેંકો પાસે ડિપોઝીટ થઇ ગઇ છૈ. આ જમા થયેલી 50 ટકા કરન્સીમાંથી 85 ટકા જેટલી કરન્સી ડિપોઝિટ કે નોટ બદલીનાં સ્વરૂપમાં બજારમાં ફરતી પણ થઇ ગઇ છે તેથી બજારમાં કરન્સીની ખેંચ ઉભી થવાના કોઇ ચાન્સ નથી. તેમણે ઉમેર્યુ હતું કે સરકારે લોકોને 3.62 લાખ કરોડની કરન્સી બદલવા માટે લોકોને ત્રણ મહિનાથી પણ વધારે સમય આપ્યો છૈ તેથી અત્યાર સુધીમાં ક્યારેય બેંકોમાં લાઇનો કે ખોટી ભીડ જોવા મળી નથી.

મૂળ તો જ્યારે 500 અને 1000 ની નોટ બંધ કરી ત્યારે બજારમાં કરન્સીનો પ્રવાહ ઝડપથી શરૂ થાય તે માટે સરકારે 2000 ની નોટ અમલમાં મુકી હતી. સરકારનો આ હેતુ સિધ્ધ થઇ ગયો એટલે તેને ચલણમાંથી પાછી ખેંચવામાં આવે તો કાંઇ ખોટું નથી. ઘણા વિદેશમાં સ્થિર થયેલા લોકો જો 30 સપ્ટેમ્બર સુધી પાછા ન ફરી શકે તો તેમને સમસ્યા નડશે. જેના માટે કદાચ રિઝર્વ બેંક કોઇ વિકલ્પ સુચવે એવું બની શકે છે. હાલમાં મુકવામાં આવેલી 30 મી સપ્ટેમ્બરની સમય મર્યાદા પાછળનો પણ કોઇ વિશેષ તર્ક નથી માત્ર ગણતરી એટલી જ છે કે કોઇ પણ નિર્ણય માટે જો ટાઇમલાઇન નક્કી ન કરીએ તો તેનો અમલ સમયસર થતો નથી. ઉલટાની આ ટાઇમલાઇનનાં કારણે બેંકોની લિક્વીડીટીમાં વધારો થયો છે.

ALSO READ  ભારત પર છવાયો નિપાહ વાઇરસનો કહેર, દેશના 10 રાજ્યો થયા સંક્રમિત

RBI એ 2000 ની નોટ પાછી ખેંચતા પહેલા કરેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે દેશનો આમ આદમી સામાન્ય રીતે રોજીંદા વ્યવહારમાં 2000 રૂપિયાની નોટ વાપરતો નથી. ગરીબ વર્ગ માટે તો આટલી મોટી કરન્સી વાપરવી સાનૂકુળ પણ નથી.  જ્યારે 2018 માં સૌથી વધારે 2000 ની નોટ બજારમાં હતી ત્યારે 6.73 લાખ કરોડની કરન્સી 2000 રૂપિયાની નોટનાં સ્વરૂપમાં હતું જે સમયની સાથે ઘટતું ગયું હતું. લોકોના સામાન્ય અનુભવ કહે છે કે છેલ્લા બે વર્ષથી જ્યારે તમે ATMમાંથી નાણા કઢાવો ત્યારે 2000 રૂપિયાની નોટ નીકળતી પણ નહોતી. મતલબ સરકારે ત્યારથી જ આડકતરી રીતે 2000 ની નોટને બજારમાં ફરતી કરવાનું બંધ કર્યુ હતું. સરકારે 2018-19 થી તો 2000 રૂપિયાની નવી કરન્સી નોટનું પ્રિન્ટીંગ પણ બંધ કરી દીધું છે.

આ સાથે જ લોકોમાં અફવા હતી કે સરકાર હાલની 500 રૂપિયાની નોટ બંધ કરશે અને નવી 1000 રૂપિયાની નોટ પાછી ચલણમાં આવશે. પરંતુ સરકારની આવી કોઇ ગણતરી ન હોવાની સ્પષ્ટતા પણ થઇ ચુકી છે.

ALSO READ  વિપક્ષનું ‘ગઢ-બંધન’ તૂટ્યું: સામ્યવાદી પક્ષે વિપક્ષને તિલાંજલિ આપી

હાલમાં પાછી ખેંચાયેલી અને બેંકોમાં જમા થયેલી 2000 ની નોટની વિગત વાર માહિતી આપવાનું વધારે મુશ્કેલ હોવાની સ્પષ્ટતા પણ RBI ઐ કરી છે કારણ કે હજુ પણ બેંકોમાંથી નોટ આવતી રહે છે, બેંકોએ આ નોટનાં બદલામાં કરન્સી આપી છે કે નાણા ફિક્સ ડિપોઝીટ કે, લોન પેમેન્ટ કે સીધા ખાતામાં જમા થયા છે તેની વિગતો મેળવવી મુશ્કેલ છે. RBI અંદાજીત આંકડા આપીને લોકોમાં ગેરસમજણ ન ફેલાય તે માટે આવી વિગતો આપતી નથી. સરકાર આ વિગતો આપે કે ન આપે તેનાથી આમ જનતાને કોઇ ફરક પડતો પણ નથી.  બેશક રોકડામાં મોટા વ્યવહાર કરનારાને 2000 ની નોટનો વિકલ્પ નહીં મળે તો તકલીફ પડશે. પણ તેમની તકલીફથી RBI ને કોઇ ફરક પડતો નથી..!

2000Rupees currency featured INDIA NationalNews Notebandhi RBI
Share. Facebook Twitter WhatsApp
Previous Articleબેંકોની બેલેન્સશીટ ચોખી કરવા વન ટાઈમ સેટલમેન્ટ માટે બેંકોના ડિરેક્ટરોને છૂટ આપતી RBI
Next Article રાજકોટ એઇમ્સનું માળખું ચાર માસમાં તૈયાર થઈ જશે: કેન્દ્રીયમંત્રી ડો.મનસુખ માંડવીયા
ABTAK MEDIA
  • Website

Related Posts

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

ગુજરાતના દોઢ લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં : વાલીઓમાં ચિંતા

21/09/2023

શેરબજારમાં મંદીની સુનામી: સેન્સેક્સ 600 પોઇન્ટ પટકાયો

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.