Abtak Media Google News

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા સતત છઠ્ઠા વર્ષે વ્હાલુડીના વિવાહનું આયોજન

સેનાના શહીદ જવાનની દીકરીને પાંચ લાખનું કરીયાવર દરેક દિકરીને 200થી વધુ વસ્તુઓ અપાશે

સમાજથી અને ઘરથી તરછોડાયેલા નિરાધાર માવતરોની છેલ્લા 24 વર્ષથી સેવા કરી રહેલું ” દીકરાનું ઘર ’ વૃદ્ધાશ્રમ તેની વિવિધ સેવાકીય પ્રવૃતિથી સમગ્ર દેશ અને દેશની બહાર પ્રચલિત છે . હંમેશા નોખું અનોખું કરવું અને સમાજને કાંઈક નવું જ આપવું એ દીકરાનું ઘરની ટીમનો મીજાજ રહયો છે .

Advertisement

” દીકરાનું ઘર ” દ્વારા 2018 થી માતાપિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર , નિ:સહાય , લાચાર , અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે . વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ યોજાતો આ લગ્નોત્સવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વીકૃત બન્યો વહાલુડીના વિવાહ એ માત્ર દીકરાનું ઘરનો પ્રસંગ ન બની રહેતા સમગ્ર સમાજનો પ્રસંગ હોય એ રીતે દિવ્ય અને ભવ્ય બની રહે છે . છેલ્લા પાંચ વર્ષમાં વહાલુડીના વિવાહ અત્યંત જાજરમાન રીતે એક શ્રીમંત પિતા જે રીતે પોતાની દીકરીનો પ્રસંગ ઉજવે એ રીતે ઉજવવામાં આવે છે .

વહાલુડીના વિવાહ-6 ના મુખ્ય યજમાન પદે પણ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર રહેશે   આગામી ડિસેમ્બરની 24 તારીખે સતત છઠ્ઠા વર્ષે વહાલુડીના વિવાહ 6 ” દીકરાનું ઘર ” દ્વારા અત્યંત ભવ્યાતીભવ્ય છતાં ગરીમાપૂર્ણ રીતે યોજાશે . ચાલુ સાલ ફરી એક વખત 22 દીકરીઓને જરૂરીયાત મુજબનો સમૃદ્ધ કરીયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય એવા આશિર્વાદ સાથે વિદાય આપશે . સતત છઠ્ઠા વર્ષે દીકરાનું ઘરની ટીમને આવી દીકરીઓના માતા પિતા બનવાનું સદભાગ્ય મળ્યું છે જેમાં સમાજના સુખી સંપન્ન દાતાઓની અનેરો સહયોગ મળતો રહે છે

સંસ્થાના મુકેશ દોશી , અનુપમ દોશી , નલીન તન્ના , સુનીલ વોરા , ડો.નિદત બારોટ અને કિરીટ આદ્રોજાએ જણાવ્યું છે કે ” દીકરાનું ઘર ” દ્વારા ફરી એકવખત સતત છઠ્ઠા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલ કે માતા – પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનો અવસર ઉભો કર્યો છે . ચાલુ સાલ ” વહાલુડીના વિવાહ- 6 ’ અત્યંત ભવ્યાતીભવ્ય રીતે યોજાશે અને તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે . આ લગ્નની વિશેષતામાં ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલ જવાનની દીકરી અમારા ધ્યાને આવશે તો આવી દીકરીના તેમની ઈચ્છા મુજબના લગ્ન સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે . ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનું સમૃદ્ધ કરીયાવર પણ આપવામાં આવશે . ગુજરાતના કોઈપણ ખૂણે આવા શહીદ થયેલ જવાનની દીકરી ધ્યાને હોય તો અમારા સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે

મૌલેશભાઈ ઉકાણી , શિવલાલભાઈ આદ્રોજા , પ્રતાપભાઈ પટેલ , વલ્લભભાઈ સતાણી , વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરીયાવર ભેટ રૂપે 200 થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે . એક ઘરની જરૂરીયાત મુજબનો તમામ કરીયાવરનો તેમા સમાવેશ થાય છે . જેમાં કબાટ , પલંગ , ટીંપાઈ , ગાદલું , ઓશીકું , મીક્ષચર , એર કુલર , પંખા , સોના – ચાંદીની નાની મોટી વસ્તુઓ , ઈમીટેશન સેટ , સંપૂર્ણ વાસણનો સેટ , 25 જોડી કપડા સહિત લગભગ 200 થી વધુ વસ્તુઓ પ્રત્યેક દીકરીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે . દીકરાનું ઘર દ્વારા જ્ઞાતિ , જાતિ , ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર આ પ્રસંગ ઉજવવામાં આવે છે . ’ દીકરાનું ઘર ’ ’ ના કુલ 171 થી વધુ કાર્યકર્તાઓ આ લગ્નોત્સવ વહાલુડીના વિવાહ સાથે ઉમંગથી જોડાયેલા છે . દીકરાનું ઘર દ્વારા અત્યાર સુધીમાં 113 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે . ચાલુ સાલ વધુ 22 દીકરીઓને હોંશે હોંશે પરણાવવામાં આવશે .

વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરું અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્થા નિમિત બનશે તેમ સંસ્થાના સુનીલ મહેતા , હરેશભાઈ પરસાણા , કિરીટ પટેલ , અશ્વિનભાઈ પટેલ , દિપકભાઈ જલુ, ગૌરાંગ ઠકકર દ્વારા જણાવવામાં આવ્યું છે .

સંસ્થાના ઉપેનભાઈ મોદી , દિપકભાઈ જલુ , હરદેવસિંહ જાડેજા , હરેન મહેતા , રાકેશભાઈ ભાલાળા , પ્રવિણ હાપલીયા , પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ શૈલેષ જાનીએ જણાવ્યું છે કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 113 દીકરીઓને પરણાવવામાં આવેલ છે . ચાલુ સાલ વધુ 22 દીકરી પ્રભુતામાં પગલા માંડશે સંસ્થાના કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે . સંસ્થાના 171 થી વધુ કર્મઠ કાર્યકર્તાઓએ આ માટેની તૈયાર શરૂ કરી દીધેલ છે .

વહાલુડીના વિવાહ-  નું ફોર્મ વિતરણ તા .15 / 7 / 2023 થી તા .27 / 8 / 2023 સુધી સાંજના 4.00 થી 7.00 સુધી 305 , ગુરૂરક્ષા કોમ્પલેક્ષ , ભારત ટ્રાવેલ્સની બાજુમાં , ટાગોર રોડ ઉ 52 ક 2 વામાં આવશે . જેમા ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજિયાત રહેશે .

આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી , દોલતભાઈ ગદેશા , ગુણુભાઈ ઝાલાડી , પ્રનંદ કલ્યાણી , યશવંત જોશી , જિજ્ઞેશ આદ્રોજા , જીતુભાઈ ગાંધી , હરીશભાઈ હરીયાણી , મહેશ જીવરાજાની , 52ીમલભાઈ જોશી , જયેન્દ્રભાઈ મહેતા , હસુભાઈ શાહ , પારસ મોદી , જિજ્ઞેશ પુરોહિત , ધીરજ ટીલાળા , જયદીપ કાચા , આર.ડી.જાડેજા , ચેતન મહેતા , શૈલેષ દવે , બ્રિજ વૈશ્નવ સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે .

વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં દીકરીઓની માતાની તેમજ મોટી બહેનની ભૂમિકામાં સંસ્થાની સક્રિય બહેનો ફાલ્ગુનીબેન કલ્યાણી , અલ્કા પારેખ , ગીતાબેન એ . પટેલ , મૌસમીબેન કલ્યાણી , અરૂણાબેન વેકરીયા , કિરણબેન વડગામા , ગીતાબેન વોરા સહિતની બહેનો લગ્નોત્સવને યાદગાર બનાવવા સક્રિયપણે કામગીરી કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.