Abtak Media Google News

સાગર સંઘાણી

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો જય છે ત્યારે આજ રોજ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટનાં સામે આવી છે જેમાં ભાણવડ નજીક છકડા રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા ૩ લોકોના મોત થયા છે અને ૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે છકડા રિક્ષામાં જતા સમયે ભાણવડ નજીક ખંભાળીયા હાઇવે રોડ ઉપર આવેલ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક રીક્ષા પુલ પરથી નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે 1 નું ભાણવડ સરકારી હોસ્પિટલે સારવાર દરમિયાન મોત થયુ હતું.

મૃત્યુ પામેલાની યાદી 

ગીતાબેન ભરતભાઈ નનેરા
હુશેનભાઈ શાહમામદભાઈ
મુક્તાબેન ધનજી ભાઈ નનેરા ઉં.50.

ઈજાગ્રસ્ત 9 વ્યકિતોને જામનગર ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.