Abtak Media Google News

આજે સવારે  જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં આવેલ ઝંઝાવાતી બર્ફિલા તોફાન અને મોટા પાયે હિમસ્ખલનમાં પ્રવાસીઓનાં વાહનો જપેટમાં આવી જતાં 10 પ્રવાસીઓ આ બરફના તોફાનમાં દબાયા હતા. આ દુર્ઘટના આજે સવારે લગભગ 7 વાગ્યાની આજુ બાજુ લદ્દાખના ખારદુંગલામાં રસ્તાની વચ્ચે બરફનો પહાડ પડ્યો હતો, જેની જપેટમાં આ પર્યટકો આવી ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલી ભારતીય વાયુ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ રાહત અને બચાવ અભિયાન હાથ ધાર્યું હતું.

Advertisement

હાલ અત્યારસુધીમાં 3 લોકોને બરફમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. બહાર કાઢવામાં આવેલા આ ત્રણેય લોકોના મોત થયા છે જ્યારે 7 લોકો હજુ પણ બરફની નીચે દટાયા હોવાની આશંકા છે. લદ્દાખના માઈનસ 15 ડિગ્રી તાપમાનમાં ભારતીય સેના બરફમાં ફસાયેલા હજી 7 પર્યટકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.