ગુજરાતના સિંહોને અન્ય રાજ્યોમાં લઈ જવા માટે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યો વચ્ચે કાયદાકીય આંટી સર્જાઈ છે. હાલ ગુજરાતમાંથી 8 સિંહોને ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને લીલીઝંડી મળી ગઈ છે. જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી ઉત્તરપ્રદેશમાં નવા બનતા પાર્કમાં ગુજરાતના આ 8 સિંહોને રાખવામાં આવશે. UPના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં સૌરાષ્ટ્રની શાન ગણતા ગીરના 8 સિંહોને મોકલવામાં આવશે, જે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. 8 સિંહો માંથી બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં આ સિંહોને ગોરખપુર વિમાન મારફતે લઈ જવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ