Abtak Media Google News

મોરબી શહેર – જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લોકો સુધી પહોચાડાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંડિત દીનદયાળ  અંત્યોદય યોજના અંતર્ગત જુદી – જુદી ગ્રામીણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધી વાત કરી હતી, આ સીધી વાતને ભાજપના તમામ સાંસદ, ધારાસભ્યને નિહાળવા ખાસ અનુરોધ કરાતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ નિહાળવા આયોજન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ અંત્યોદય યોજના હેઠળ નેશનલ ગ્રામ્ય આજીવિકા મિશન, દીન ગ્રામીણ કુશળતા વિકાસ યોજના  અને રૂરલ સ્વ રોજગાર તાલીમ સંસ્થા અને સ્વ-સહાય સમૂહો લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી હતી.Sidhi Vaat3 વધુમાં આ કાર્યક્રમ સાંસદ, ધારાસભ્ય અને પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જાહેરમાં કાર્યક્રમ નિહાળે અને આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચે, તેવી વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત પોતાના વિસ્તારમાં મોટી સ્ક્રીન પર સંવાદ બતાવવા માટે પણ ભાજપ દ્વારા અનુરોધ કરવામાં આવતા મોરબીમાં સુંદર વ્યવસ્થા વચ્ચે લોકોએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને નિહાળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રહાટકરે આ કાર્યક્રમનું મીડિયા અને સોશિયલ મીડિયામાં  પ્રમોટ કરવા સૂચના આપી હોવાથી મોરબી ભાજપ દ્વારા આ આયોજન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.