Abtak Media Google News

અમરેલી નજીક સાવરકુંડલાના સ્વામિનારાયણ ગુરુકુલ મંદિરના કારને બોલેરો જીપ અડફેટે લેતા ૭૦ વર્ષીય સ્વામીનું ગંભીર ઈજા થવાથી મોત થતા અરેરાટી મચી જવા પામી છે. સાવરકુંડલાના સ્વામી ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી પરત સાવરકુંડલા જઈ રહ્યા હતા અને અકસ્માત નડયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલાના ખંધેડીયા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં સેવાપુજા કરતા સ્વામી સ્વરૂપદાસજી પ્રેમપ્રકાશદાસજી ગુરૂપુરણ (ઉ.વ.૭૦) તથા અન્ય સ્વામી આજે ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયેલ હતા અને ત્યાંથી પરત ફરતા અમરેલી નજીક શેત્રુંજી નદી પાસે હનુમાન મંદિર પાસે અમરેલી તરફ આવી રહેલ બોલેરો જીપ યુટીલીટી નંબર જીજે ૪ એટી ૪૧૨૬ના ચાલકે સ્વામીના કાર સાથે ભટકાવી દેતા કારમાં બેસેલા સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (ઉ.વ.૭૦)ને ગંભીર ઈજા થતા તેમનું મોત થયેલ હતું. જયારે કારમાં બેસેલા અન્ય સ્વામીને ઈજા થવા પામી હતી. સદગતની અંતિમયાત્રા તા.૨૨ના ગઢપુર ખાતે સવારે ૮ વાગ્યે નીકળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.