Abtak Media Google News

સમગ્ર ગુજરાતમાં કાલે ૨/૧૨ ના રોજ લોક રક્ષક દળ દ્વારા ૯૦૦૦ થી વધુ લોકરક્ષક ભરતી માટેની પરિક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વિધાર્થીઓ આ પરિક્ષા મા ભાગ લીધો હતો ત્યારે થોડા દિવસ પહેલા કોલ લેટર નીકળ્યા હતા ત્યારે મોટા ભાગ ના વિધાર્થીઓ ને પરિક્ષા નું કેન્દ્ર અમદાવાદ કે રાજકોટ આપવા મા આવ્યું હતું.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વિધાર્થીઓ લોકરક્ષક ભરતી માટેની પરિક્ષા આપવા માટે મોટી સંખ્યામાં અમદાવાદ રાજકોટ અને પોતાના વિવિધ કેન્દ્ર પર પહોંચી ગયા હતા.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા માંથી આસરે ૧૬ હજાર થી વધુ વિધાર્થીઓ દ્વારા લોકરક્ષક ભરતી ની અરજી કરી પરિક્ષા આપવા માટે વિવિધ કેન્દ્ર પર પહોંચ્યા હતા.ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જીલ્લા માંથી અમુક વિધાર્થીઓ આગલા દિવસે. જ જેતે પરિક્ષા સ્થળે પહોંચી ગયા હતા.ત્યારે ગઈ કાલે લોકરક્ષક ભરતી નું પેપર લીક થયું હતું.ત્યારે ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે લોકરક્ષક ભરતી માટેની પરિક્ષા રદ કરવા ની જાહેરાત કરવામાં આવતા વિવિધ શહેરો ના ૯ લાખ થી વધુ વિધાર્થીઓ રજલિ પડ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના  પણ ૧૬ હજાર થી વધુ વિધાર્થીઓ વિવિધ પરિક્ષા કેન્દ્ર પર પરિક્ષા રદ કરતા રજળિ પડ્યા હતા.ત્યારે વિધાર્થીઓ મા તંત્ર સામે રોસ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.