Abtak Media Google News

ભૂતકાળમાં કોંગ્રેસના પ્રધાનમંત્રીશ્રીએ જ સ્વીકારેલું કે, ગરીબો માટેનો ૧ રૂપિયો ગરીબ સુધી પહોંચતા ૧૫ પૈસા થઇ જાય છે આટલા વ્યાપક ભ્રષ્ટાચાર સામે ક્યારે કોંગ્રેસીઓ કેમ ચૂપ હતા ?
ભ્રષ્ટાચાર વિરોધી ધરણા કેમ નહીં કરેલા ?

49664364 2258549680864606 3314375525874532352 N

ભ્રષ્ટાચાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભ્રષ્ટાચારની ખોટી કાગારોળ મચાવી ધરણા કરી રહેલી કોંગ્રેસને પોરબંદરના ગરીબ કલ્યાણ મેળામાં આડે હાથ લીધી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં તેમના જ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ કબુલ્યું હતું કે, દિલ્હીથી ગરીબો માટે મોકલવામાં આવતો ૧ રૂપિયો ગરીબ સુધી પહોંચતા ૧૫ પૈસા થઇ જાય છે.

49326575 2258549417531299 6287811621465096192 N

આટલો વ્યાપક ભ્રષ્ટાચાર એ સમયે ચાલતો એવું ખુદ કોંગ્રેસના વડાપ્રધાને સ્વીકારેલું ત્યારે આ કોંગ્રેસીઓન મોઢા કેમ સિવાઇ ગયેલા ? ત્યારે ભ્રષ્ટાચાર સામે ધરણા કે આંદોલન કરવાનું તેમને કેમ સુઝ્યું નહીં એવો સવાલ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શીતા અને સંવેદનશીલતા સાથે ભ્રષ્ટાચારરહિત સુશાસન આપી રહી છે.

અમે બિનખેતી(એન.એ.)માં જે ભ્રષ્ટાચાર થતો એ દૂર કરી ઓનલાઇન એન.એ. કર્યું તેનો પણ કોંગ્રેસશાસિત જિલ્લા પંચાયતો વિરોધ કરી રહી છે કેમ કે, તેમની ભ્રષ્ટાચારની દુકાનો બંધ થઇ જવાની છેતેમ પણ મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસ પર સરસંધાન સાધતા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.