Abtak Media Google News

રાજકોટના હડાળા ગામમા એક ખાખી બાપુ બીડીનો ધૂપ આપીને લોકોને અનેક બીમારીઓથી છુટકારો આપાવતા હતા. આ અંધશ્રદ્ધામાં દરોજ ના હજારો લોકો આ ખાખી બાબા પાસે આવતા હતા.

Advertisement

Bidiwala Baba Hadala 8

બીડીવાળા અને ખાખીબાબા તરીકે ઓળખાતા નગીનભાઇ આંબલીયા પોતે બીડીના ધૂપથી લોકોના દુઃખ દર્દ મટાડી દેતા હોવાનો દાવો કરતા હતા. સોમવારે મોડિ રાત્રે વિજ્ઞાન જાથાએ પોલીસની મદદ વડે હડાળા ગામમાં ખાખી બાબા રેડ પાડી હતી અને લેખિત ખાત્રીમાં બાબાએ આ ધતિંગ બંધ કરી પોતાની દુકાન ફરી શરૂ કરશે તેવી કબૂલાત આપી હતી.

પરંતુ આ ખાખી બાબા સારવાર માટે આવતા લોકો પાસેથી એક પણ રૂપિયો કે ચીજવસ્તુ લેતા નહોતા. જેના પગલે પોલીસે અને વિજ્ઞાન જાથાએ લેખિતમાં નિવેદન લીધુ અને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી ન હતી.

11 1548137442 154813

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.