જામનગર રોડ પર વોર સોસાયટી સામે અયોઘ્યા નિવાસી ખાખી મહંત રામલક્ષ્મણદાસજી મહારાજ ગુરુ નારણદાસજી મહારાજ સ્થાપિત, પ્રાણ-પ્રતિષ્ઠા રામજી મંદીર રામ લક્ષ્મણ આશ્રમ ખાતે મંદીરના પૂ. બિહારીબાપુના પ્રેરક સાનિઘ્યમાં તાજેતરમાં અખંડ રામધુન યોજાઇ હતી. દેશનાં ૧ર જયોતિલિંગમાં દર સાલ ૯ દિવસ માટે યોજાતા અખંડ હરિનામ સંકિર્તનના ભાગરુપે યોજાતી આ રામધુન દર સાલ અહિ યોજાય છે. શહેરના દુર દુરના વિસ્તારોમાંથી રામપ્રેમી ભકતો વિશાળ સંખ્યામાં હાજરી આપીને રામધૂનના સત્સંગનો લાભ લઇ રહ્યાં છે. મંદીરે આવનાર તમામ ભકતોને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. અખંડ રાભધુનના અંતિમ દિવસોમાં રામપ્રેમી ભાવિકોને રામધુનમાં સાહેલ થવા રામલક્ષ્મણ આશ્રમ રામજી મંદીરના મહંત રાઘવદાસબાપુની યાદીમાં આમંત્રણ અપાયું છે.
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?