Abtak Media Google News

ગૌપાલક એકતા મંચ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન

કોર્પોરેશન દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેનું લોકાર્પણ આગામી ૨૪મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે કરવામાં આવનાર છે. આ બ્રિજનું શહિદ અમર જવાન નામકરણ કરવાની માંગણી સાથે આજે ગોપાલક એકતા મંચ દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને આવેદન આપવામાં આવ્યું હતું.

જેમાં એવી માંગણી કરાઈ હતી કે, જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં ૪૦ જવાનો શહિદ થયા છે જેની કાયમી સ્મૃતિ રાજકોટમાં જળવાય રહે તે માટે રૈયા ચોકડી ખાતે નિર્માણાધીન બ્રિજને શહિદ અમર જવાન બ્રિજ નામકરણ કરવા રૈયા ગામ તથા રૈયા ચોકડીથી રૈયા રોડ પરના વેપારીઓ દ્વારા ગોપાલક એકતા મંચની આગેવાનીમાં માંગણી કરાઈ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.