Abtak Media Google News

ભુજના ગણેશનગરમાં રહેતી ૪૮ વર્ષિય ત્યક્તા મહિલાને લગ્ન કે મૈત્રીકરાર કરી આપવાની લાલચ આપી માનકૂવાના આધેડ વેપારીએ છેલ્લાં પંદર વર્ષ દરમિયાન શરીર સંબંધો રાખી ઉપભોગ કર્યો હોવાની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ૪૮ વર્ષિય મહિલાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિ ત્યજી ગયો હોઈ તેણે એકલેહાથે મજૂરીકામ કરી સંતાનોને ઉછેર્યાં છે. દોઢ દાયકા અગાઉ તે મિરજાપર હાઈવે પર ભગવતી હોટેલ પાછળ આવેલી ઘનશ્યામ ઈલેક્ટ્રોનિક નામની દુકાનના માલિક અને માનકૂવા જૂનાવાસમાં રહેતા પરબત લાલજી દબાસીયાના સંપર્કમાં આવી હતી. તેની પરિસ્થિતિ જોઈ પરબતે તેનું અને તેના પરિવારનું ભરણપોષણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. બંનેનો પરિચય શારીરિક સંબંધો સુધી પહોંચ્યો હતો. પરબતે તેની સાથે લગ્ન કરવા અથવા મૈત્રીકરાર કરવાનો વાયદો કરી દોઢ દાયકા દરમિયાન તેની દુકાન, ભોગ બનનારના ઘર તેમજ ફરવા લઈ જવાના બહાને મુંબઈ, શીરડી, અમદાવાદ, અંબાજી વગેરે જેવા વિવિધ સ્થળે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં, પરબતે ભોગ બનનાર પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર મેળવ્યા હતા અને તેમાંથી દોઢ લાખ રૂપિયા હજુ પરત કર્યા નથી. પંદર-પંદર વર્ષના સહવાસ બાદ પરબતે મહિલાને દગો આપતાં તેણે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ સહિતની કલમો તળે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.