Abtak Media Google News

પૈસાની પ્રશ્ને ચાલતા વિવાદના કારણે બે શખ્સોએ કારમાં ગોંધી રાખ્યાનો નોંધાતો ગુનો

ભાવનગર આરટીઓ સર્કલ પાસે રહેતા અને મિલ્ટ્રી સોસાયટીમાં આવેલી કૃષ્ણ કુંવરબા આદર્ષ સ્કૂલના મહિલા પ્રિન્સીપાલનું કારમાં બે શખ્સોએ અપહરણ કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના આરટીઓ સર્કલ પાસે રહેતા મહિલા પ્રિન્સીપાલ નિતાબેન નિરજભાઇ ભટ્ટનું જી.જે.૪સીજે. ૯૪૯૩ નંબરની કારમાં હરદેવસિંહ પથુભા ગોહિલ અને તેના ડ્રાઇવર અર્જુનસિંહ અપહરણ કરી ઝાપટ મારી ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

નિતાબેન ભટ્ટે ૨૧ વર્ષ પહેલાં રાધે શ્યામ સોસાયટીમાં રહેતા નિરજભાઇ ધીરજલાલ ભટ્ટ સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ બંને એકાદ વર્ષથી અલગ રહે છે. નિતાબેન ભટ્ટે પોતાની સામપરા ખોડીયા રહેતા બહેન રમીલાબા રાજેન્દ્રસિંહ ગોહિલના દિયર હરદેવસિંહ પથુભા ગોહિલને રૂ.૧.૪૬ લાખ હાથ ઉછીના આપ્યા હતા તે પૈકી રૂ.૪૬ હજાર ચુકવી દીધા હતા અને બાકીના એક લાખની ઉઘરાણીના પ્રશ્ને હરદેવસિંહ જી.જે.૪સીજે. ૯૪૯૩ નંબરની કાર લઇને ઘરે આવ્યા બાદ અપશબ્દ બોલતા તેમ ન બોલવા અંગે સમજાવતા કારમાં બેસીને વાત ચીત કરવાનું હરદેવસિંહ ગોહિલે જણાવતા નિતાબેન ભટ્ટ કારમાં બેસતા કાર ચાલક અર્જુનસિંહે કાર ચલાવી હતી અને બજરંગ સોસાયટી તરફ લઇ જઇ ઝાપટ પારીબાકીની રકમ ભુલી જવા ધમકી દીધી હતી. પોલીસે નિતાબેન ભટ્ટની ફરિયાદ પરથી હરદેવસિંહ ગોહિલ અને અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.