Abtak Media Google News

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના છાત્રો દ્વારા ગીતાપાઠ, ભકતો દ્વારા સહસ્ત્રદિપ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા

પ્રભાસોત્સવ ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી જેમનો પ્રારંભ દિપપ્રાગટ્ય થી ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર તથા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીએ કરેલ. જેમાં ગુજરાતભરના કલાકારોદ્વારા નટરાજની સુરઆરાધના કરવામાં આવી. ચૈત્ર સુદ એકમના પ્રાત: કાળે સુર્યના વધામણા કરવામાં આવેલ. ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ, વિષ્ણુયાગ પ્રારંભ, કૃષ્ણ ચરણપાદુકા અભિષેક કરવામાં આવેલ જેમાં યજમાન પરિવાર તથા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરીના હસ્તે પુજન કરવામાં આવેલ.

005

સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીજીએ પ્રભાસમાં કરેલ ચાતુર્માસ દરમ્યાન કૃષ્ણ ગોલોકધામ ગમનની  શાસ્ત્રોક્ત અભ્યાસ પ્રમાણે કાલગણના મુજબ ૧૮ ફેબ્રુઆરી ઇ.સ. ૩૧૦૨ વર્ષ પહેલા, ચૈત્ર શુક્લ પ્રતિપદા, શુક્રવારે હિરણના આ પાવન સ્થળેથી કૃષ્ણ પરમાત્મા પોતાના સ્થુળ શરિરને આ ભૂમિમાં સમાવિષ્ટ કરી વિધુત સ્વરૂપે નિજધામ પ્રસ્થાન મધ્યાન્હે ૨ કલાક ૨૭ મીનીટ અને ૩૦ સેક્ધડ સમયે કરેલ. આ સમયે કરવામાં આવેલ. સાંજે સંસ્કાર ભારતીના કલાકારો દ્વારા રાસ ગરબા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો દ્વારા ગીતાપાઠ,ભક્તો દ્વારા સહસ્ત્રદિપ આરતી સહિત અનેક વિધ ધાર્મીક કાર્યક્રમો યોજાશે.002

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.