ગોંડલના વાસ્તુશાસ્ત્રી ડો. ધર્મેન્દ્ર ગોહિલ અને ડો શીતલ ગોહિલ ને તાજેતરમાં ઇન્દોર ખાતે આયોજિત જ્યોતિષશાસ્ત્ર સંમેલનમાં ઇન્ટરનેશનલ મિલેનિયમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સંમેલનમાં નેપાળ, રશિયા, દુબઈ, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, મોરેશિયસ સહિતના દેશોમાંથી ૫૦૦ થી પણ વધારે વાસ્તુશાસ્ત્રી તેમજ જ્યોતિષાચાર્ય આવ્યા હતા. આ સંમેલનમા ડો. એસ.એસ. રાવત, અજય ભાબી, કેબિનેટ મંત્રી યોગેન્દ્ર મહંત સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરોક્ત ડોક્ટર દંપતી એ સંમેલન વેળાએ વાસ્તુ અને જ્યોતિષની સેવાઓ આપી હતી, લોકોની કુંડળી નું નિવારણ તેમજ નકશા જોઈ વાસ્તુનું સમાધાન બતાવ્યું હતું આ દંપતી આ પહેલા પણ અનેકવાર અનેકવિધ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ