Abtak Media Google News

વિલેપાર્લેમાં તકતી અનાવરણ વિધી

Img 7823

ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલા બેન ખાતે પૂ. ગુરુદેવ ધીરજમુનિ મ.સા.નો વિદાયમાન સમારોહ તા.૮ ને રવિવારે સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ કલાકે અને શ્રમણી વિદ્યાપીઠ જ્ઞાનદાતા યોજના તકતી અનાવરણ વિધી માલિનીબેન કિશોરભાઇ સંધવીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે પૂ. ઉમિજી મ.સ., પૂ. જયોતિજી મ.સ. પૂ. ભારતીજી મ.સ., પૂ. સ્વાતિજી મ.સ., આદિ ઠાણા બિરાજશે. વિલેપારલે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, રેલવે સ્ટેશન સામે વિરાણી ઉપાશ્રય ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં તા.૬ ને શુક્રવારે સવારે ૭.૩૦ કલાકે સંઘના નવોદિત પ્રમુખ શકુંતલાબેન વિજયકુમાર મહેતા પરિવાર પ્રેરિત આત્મોત્થાન ગુણસ્થાનક પરિસર તકતી ની અનાવરણ વિધિ હિતેશ મહેતા, મનીષ મહેતા વગેરેના હસ્તે યોજાયેલ છે. મહેતા પરિવારે રૂા રપ લાખનું અનુદાન અર્પણ કરેલ. ચંદુભાઇ દોશીએ સ્વાગત કરેલ. હિતેશ મહેતાએ સહુનો આભાર પ્રદર્શીત કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.