રાજય સરકાર દ્વારા ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખરીફ પાક સિઝન ૨૦૧૯-૨૦ માટે ટેકાના ભાવે મુજબ મગળીની ખરીદી કરવા માટે રાજકોટ જિલ્લાના કુલ ૧૮ ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ છે. જે અન્વયે તા. ૧૮મી ડીસેમ્બરના રોજ એકજ દિવસમાં કુલ ૧૧૮ ખેડૂતોની રૂ. ૧,૨૯,૦૦,૦૦૦ (અંકે રૂપીયા એક કરોડ ઓગત્રીસ લાખ)ની મગફળીની ખરીદ કરી ઓનલાઇન ચુકવણું કરી આપવામાં આવેલ છે. જેમાં જસદણના ૯ ખેડૂતો, ઉપલેટાના ૧- ખેડુત, જેતપુરના ૧૪ અને ગોંડલ ૯૪ ખેડૂતોની મગફળીની ખરીદી કરાઇ છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૨ ખેડુતોને કુલ રૂ. ૧,૭૮,૫૯,૦૦૦/-ની રકમનું ચુકવણું ઓનલાઇન ધોરણે કરવામાં આવ્યું છે. તેમ રાજકોટ રાજય નાગરીક પુરવઠા નિગમ લી.ના રાજકોટ ખાતેના જિલ્લા મેનેજર ગ્રેડ-૧ જણાવ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ