Abtak Media Google News

– ભારત પાકિસ્તાનને નહી પરંતુ દેશ ચીનને ધ્યાનમાં રાખીને પોતાના પરમાણુ હથિયારો તેમજ દેશની પરમાણુ રણનિતીનું વિવિધ આધુનિકરણ કરી રહ્યો છે. પહેલા ભારત પાકિસ્તાનને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હવે એવુ લાગે છે. કે ભારતનું જોર ચીન તરફ વધારે ખેચી રહ્યું છે.

– ઓનલાઇન મેગેઝીન આફટર મિડનાઇટના જુલાઇ-ઓગસ્ટ અંકમાં છપાયેલા લેખમાં દાવો કરવામાં આવ્યો છે. કે ભારત એક એવી મિસાઇલ બનાવી રહ્યુ છે જે દક્ષિણ ભારતના બેઝ પરથી સમગ્ર ચીનને નિશાન બનાવી શકે છે.

– તેમજ ભારત પાસે ૭ પરમાણુ સક્ષમ પ્રણાલી છે. જેમાં વિમાનથી સંચાલિત થતી ૨, જમીનથી સંચાલિત થતી ૪ બેલિસ્ટિક મિસાઇલ અને સમુદ્રથી માર કરવામાં સક્ષમ એક બેલિસ્ટિક મિસાઇલ તૈયાર કરવામાં આવી છે.

– જે ઓછામાં ઓછી ૪ વધુ પ્રણાલીઓ પર કામ ચાલી રહ્યું છે. તેને ઝડપથી વિકસિત કરવામાં આવી રહી છે.

– ઇન્ડિયન ન્યુકિઅર ફોર્સ ૨૦૧૭ના પોતાના લેખમાં હંસ એમ ક્રિસ્ટિનસન અને રોબર્ટએસ નોરિસે લખ્યું છે કે ભારત પાસે ૧૫૦થી ૨૦૦ પરમાણુ હથિયારો બનાવવા માટે માત્રામાં પ્લુટોનિયમ છે.

– પરંતુ મદઅંશે ૧૨૦ થી ૨૦૦ જ બનાવ્યા છે તેમજ હવે ભારતની રણનીતી પાકિસ્તાન પર નહી પરંતુ ચીન તરફ વધારે દોરયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.