Abtak Media Google News

ધ્રાંગધ્રાની સબ જેલમાંથી મોડી રાતે 5 જેટલા કેદીઓ ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે. કાચાકામના કેદીઓ મોડી રાતે જેલ તોડી ફરાર થઈ જતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. જિલ્લા SOG, LCB, ધ્રાંગધ્રા જિલ્લા પોલીસ સહિતના સ્ટાફે તમામ આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

આજે વહેલી સવારે ધ્રાંગધા સબ જેલમાં જૂની જેલના કેદીઓએ થાળી ખખડાવી હોબાળો કર્યો હતો જેથી જેલ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. બેરેક નંબર 6ના કેદીઓએ જણાવ્યું હતું કે બેરેક નંબર 3માં રહેલા કેદીઓ પ્લાસ્ટિકની છત તોડી ફરાર થઈ ગયા છે.

જેથી તાત્કાલિક બેરેકમાં જઈ તપાસ કરતા દસાડા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના ચાર સગાભાઈ આરોપીઓ અને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચોરીનો એક આરોપી પ્લાસ્ટિકની છત તોડી અને દીવાલ પર ચાદર બાંધી ધાબા પરથી નીચે ઉતરી ગયા હતાં.

દીવાલ પર ફરાર થઈ ગયા હોવાના નિશાન પણ મળી આવ્યા હતા. એક આરોપી છત પરથી ભાગવા જતા નીચે પડી ગયો હતો. જેથી કેદીઓ જાગી ગયા હતા અને થાળી ખખડાવી જેલ સ્ટાફને જાણ કરી હતી. ઘટનાની જાણ થયા ધ્રાંગધ્રા dysp, સીટી પોલીસ સ્ટેશન પીઆઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. તમામ કેદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.