જામસાહેબ દ્વારા જાહેર જનતાને જોગ જણાવાયું છે કે, કોરોના વાઈરસની મહામારીના સમયને ધ્યાનમાં રાખી આપણાં વિસ્તારમાં વધારે ફેલાય નહીં તે હેતુથી આ વર્ષે તા. ૨૩-૦૬-ર૦ર૦ના રોજ હું અષાઢી બીજ ઉજવીશ નહીં. મારા નિવાસ સ્થાને હું શમીયાણો ઉભો કરી અને તેના છાયામાં ખુરશીઓ રખાવીશ નહીં, મીઠું મોઢુ કરાવીશ નહીં. એટલે જામનગરની જનતાને અને મારા સગા-સંબંધીઓને વિનંતી કરૃં છું કે આ વર્ષે અષાઢી બીજના દિને મારા નિવાસસ્થાને આવવાનું કષ્ટ ના કરશો. હું આપ સૌની લાગણીને મનથી માની લઈશ. આપ ફક્ત મને યાદ કરી અને ધ્યાન કરજો. સૌને મારી શુભેચ્છા અને અષાઢી બીજનાં જામસાહેબના જય માતાજી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ