કોરોનાની મહામારી વચ્ચે પણ સામાજિક અંતર અને પુરી સાવધાની સાથે માત્ર થોડા વિદ્યાર્થીઓને સાથે રાખીને સામાજિક ઉતરદાયિત્વના ભાગ રુપે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે એન.એસ.એસ. અને એન.સી. સી.ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરીના આચાર્ય ડો. સી.બી. બાલસના માર્ગદર્શન અનુસાર કોલેજના એન.સી.સી. (આર્મી)ના કો ઓડીનેટર ડો. સંદીપકુમાર વી. વાળા અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. ધર્મેશ આર. પરમાર દ્વારા કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ, જેમાં કોલેજના આચાર્ય ડો. સી.બી.બાલસ, પરેશભાઇની વિશેષ ઉપસ્થિતિમાં એન.એસ. એસ. અને એન.સી.સી.ના વિધાર્થીઓ દ્વારા ૫૦ જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરવામા આવ્યુ અને વિદ્યાર્થીઓ વૃક્ષોનુ જતન પણ પોતે કરશે તેવી પ્રેરણાપુરી પાડવામા આવી હતી.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર