સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની ભારતીબેન પરીમલભાઈ ગેડીયા, રંજનબેન ગોરધનભાઈ, હનુભાઈ ગોવુભાઈ, ભવનભાઈ ભીખાભાઈ, ભીમાભાઈ અમજીભાઈ, વઢવાણ તાલુકાના વતની મોતીબેન ગણપતભાઈ, કાળીબેન જીવાભાઈ અને ધ્રાંગધ્રા તાલુકાના વતની બળદેવભાઈ નાનજીભાઈ કણજરીયા, સવિતાબેન ઘનશ્યામભાઈ, હિરાબેન કાનજીભાઈ, શિવાભાઈ ભુરાભાઈ તથા લીંબડી તાલુકાના વતની રમણીકભાઈ જીગરભાઈ ચાવડા તેમજ ચુડા તાલુકાના વતની અમીનભાઈ રસીકભાઈને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ તમામ દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૨૯ જુલાઇ -૨૦૨૦ ના રોજ કોવિડ હોસ્પિટલ- સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.
Trending
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…
- રોજિંદા જીવનમાં ઉપયોગ થતા 5 રસાયણો
- કઈ રીતે અપાયું ચક્રવાતને ‘રેમલ’ નામ
- Direct અને Regular mutual funds માં બેસ્ટ કયું…
- જાજરમાન રજવાડું: દેશની પાંચ રેલગાડીઓમાં થાય છે ‘રાજમહેલ’નો અહેસાસ