Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ યોજાયો

ગીર સોમનાથ  સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમા ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર સોમનાથ ખાતે ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો ૭૧ મો વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ તકે મંત્રીશ્રી વાસણભાઈ આહિર જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારરશ્રીની ગાઈડ લાઈન મુજબ ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો. ૭૧ મા વન મહોત્સવની શુભકામના પાઠવી વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે સમગ્ર દેશને એક નવી દિશા આપી છે. કર્મચારીઓ કર્મયોગી બની ફરજ બજાવી રહ્યા છે. વન મહોત્સવ નિમિતે લોકો વૃક્ષોનું રોપણ કરી તેનું જતન કરવાની ખાસ જરૂરીયાત છે.

રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાએ કહ્યું હતું કે, વૃક્ષ આપણને આયુર્વેદિક રીતે નવી જીંદગી આપે છે. વન સરંક્ષકશ્રી વિજય રાણાએ જણાવ્યું હતું કે, લોકોએ વધુમાંવધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવું જોઈએ. મંત્રશ્રીએ આરોગ્ય રથને લીલીઝંડી આપી હતી. આરોગ્ય રથ દ્રારા જુદા-જુદા વિસ્તારમાં રોગ પ્રતિકારકતા વર્ધક રોપાઓનું વિતરણ કરવામાં આવશે. સામાજીક વનીકરણ વિભાગ દ્રારા આયોજીત વનમહોત્સવમાં લીમડો, પારસપીપળો, આંબળા, શરૂ, રૂદ્રાક્ષ, ચંદન સહિતના ૨૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ૪૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, અગ્રણીશ્રી ઝવેરીભાઈ ઠકરાર, ડાયાભાઈ જાલોંધરા, કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, નાયબ વન સરંક્ષક શોભીતા અગ્રવાલ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ્રીશ્રી જે.ડી.પરમાર, જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મદદનીશ વન સંરક્ષક ઉષ્મા નાણાવટીએ અને આભારવિધી આર.એફ. ઓ.ડી.એમ.મકવાણાએ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.