Abtak Media Google News

તાવ આવતા ગઇકાલે કરાવ્યો હતો રિપોર્ટ: યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા

ભાજપના વધુ એક નેતા કોરોના મહામારીમાં સપડાઈ ચૂક્યો છે આજે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા ભરત પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી નથી તાજેતરમાં જ ભાજપના બે ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ હવે ભરત પંડ્યા પણ કોરોનાવાયરસની ઝપટે ચડી ચૂક્યાં છે.

Advertisement

ભરત પંડયા ગઈકાલે તાવની ફરિયાદ સાથે હોસ્પિટલમાં તપાસ સારવાર માટે ગયા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો આજે તેમનો રિપોર્ટ આવ્યો હતો અને તેઓ પોઝિટિવ જણાયા હતા તેમને તાત્કાલિક યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે રાજ્યમાં કોરોના મહામારી ના કેસ સતત વધી રહ્યા છે ભાજપ હોય કે કોંગ્રેસ દરેક રાજકીય પક્ષના કોક ને કોક આગેવાન મહામારીમાં સપડાઇ ગયા છે ક્યારે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.