મહોમ્મદ રફીનું નામ સાંભળતાં ભારતના સંગીત પ્રેમી લોકોમાં એક અનેરો આદરભાવ જાગી આવે છે. સ્વ. મહોમ્મદ રફી એક ઉમદા ગાયક હતા. જેમના સ્વરને જુની પેઢીના તો ઠીક પરંતુ હાલની નવી પેઢીના લોકો પણ માણે છે.મહોમ્મદ રફીકે જેઓને રફી સાહેબના હુલામણા નામથી વધુ ઓળખાય છે. જેઓની પુણ્યતીથી હાલમાં ૩૧ જુલાઇના રોજ હતી.તેમને સ્વર શ્રઘ્ધાંજલી આપવા રાજકોટમાં રફી સાહેબનામોટા એવા ફેન અને મેલોડી કલર્સ ઓકકેસ્ટ્રાના મનસુઅ ત્રિવેદી દ્વારા ‘મહોમ્મદ રફી કી યાદે’ નામથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં છેલ્લા ર૦ વર્ષથી મહોમ્મદ રફી જેવો અવાજ જેમના કંઠમાં વણાયેલો છે તેવા રહીમભાઇ શેખ દ્વારા રફી સાહેબના સદાબહાર ગીતો ગાઇ સંગીત પ્રેમીઓને મંત્ર મુગ્ધ કરી દેવાયા હતા.આમંત્રીત શ્રોતાઓ તથા રફી સાહેબના અવાજના પ્રેમીઓએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે માણ્યો હતો.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે