રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન હરહંમેશ સમાજ માટે અનેકવિધ સામાજીક કાર્યમાં આગળ પડતી રહી છે. ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં અતિ વરસાદને અનેક ગામડા-શહેરનો પારાવાર નુકશાન થયું છે. નાના માણસોની બહોળી સંખ્યામાં જાન-માલની નુકશાની થઈ છે. અનેક પરિવારોની રોજી-રોટીનાં સાધનો છીનવાઈ બેરોજગાર બની ગયા, આવી તારાજી પામેલ વિસ્તારને ઝડપથી પાછા બેઠા કરવા અનેક સંસ્થાઓ રાહતનો ધોધ વરસાવી રહી છે.રાજકોટ બિલ્ડર્સ એસોસીએને બિલ્ડર્સ મિત્રોના આર્થિક સહકારથી જેવી માતબર રકમ ઉત્તર ગુજરાતનાં પુર પીડિતો માટે એકઠી કરેલ છે. આ રકમનો ચેક ધાનેરા ખાતે મુખ્યમંત્રી રાહત ફંડમાં આજરોજ જમા કરાવવામાં આવ્યો છે. આ રાહતનાં કામમાં અમદાવાદના બીલ્ડરો તરફથી લાખ, સુરતના બીલ્ડરો તરફથી ૧.૨૨ કરોડ, બરોડાના બીલ્ડરો તરફથી લાખ જેવી મોટી રકમ આ પુર પીડિતો માટે એકઠી કરી રાહતનાં કામમાં આપવામાં આવનાર છે.ચેક અર્પણ કરવા આજરોજ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરાની આગેવાની હેઠળ સ્મીત કનેરીયા, મુકેશ શેઠ, સમીર ગામી, ધ્રુવિક જી.તળાવીયા, સુજીત ઉદાણી, અમીત ત્રાંબડીયા, અનીલ જેઠાણી, બાકીર ગાંધી, મીહીર મણીઆર, વાય.બી.રાણા, દિલીપ લાડાણી, નીખીલ પટેલ, દીનેશ ઢોલરીયા, કિશોર કોટેચા, વિક્રાંત શાહ, આદિત્ય લાખાણી, ચેતન રોકડ, હાર્દિક શેઠ, રણદીર જાડેજા, ‚ષીત ગોવાણીએ સક્રિયતાથી જોડાયા હતા.
Trending
- શું આપ જાણો છો? ક્યાં પરિબળોને કારણે આવે છે હીટવેવ?
- ખંભાળીયા: પ્રિ-મોનસુન કામગીરીમાં કચાસ ન રહે તે માટે તંત્ર પ્રયત્નશીલ
- જો તમે પણ એક દિવસમાં અનેક કપ ચા પીતા હોવ તો આ સમાચાર તમારા માટે છે…
- હરીદ્વારમાં ગજેરા પરિવાર દ્વારા યોજાઇ શિવકથા
- પુત્રીને મારી નાખવાના કેસમાં પ્રેમાંધ માતાનો હાઇકોર્ટે છુટકારો કર્યો
- અમરેલી: પ્રિ-મોનસુન કામગીરી માટે કલેકટર અજય દહિયાએ તંત્રને કર્યુ સજજ
- એલજી ઈલેકટ્રોનિકસ ઈન્ડિયાનો લાઈફ ગુડ ઓફર્સ સાથે 28માં વર્ષમાં મંગલ પ્રવેશ
- બિન તાલીમી શિક્ષકોને તાલીમબધ્ધ કરવા નક્કર આયોજનની આવશ્યકતા