ધોરાજી જૈન સ્થાનકવાસી સંઘ સંચાલિત પ્રભુલાલ મુલજી મહેતા-જૈન ઉપાશ્રય ખાતે ૨૦૧૬થી જૈન ભોજનાલયનો પ્રારંભ કરાતા ચારે ફિરકાના ભાઈ-બહેનો લાભ લઈ રહેલ છે. રોજ બપોરે શુઘ્ધ, સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. તેમજ ટિફિન આપવામાં આવે છે. તાજેતરમાં ચાતુર્માસ બિરાજમાન તપસમ્રાટ રતિલાલજી મ.સા.ના કૃપાપાત્રી મુકત-લીલમ-ભદ્ર ગુરુણીના પ્રવચન પ્રભાવિકા હસ્મિતાજી મ.સ.ની પ્રેરણાથી ધોરાજી નિવાસી હાલ કલકતા હરકુંવરબેન રતિલાલ શાહ તરફથી રૂા.૩ લાખનું દાન અર્પણ કરાયું છે. તેમજ પારસમૈયા ગુરુભકતે રૂા.૩૧ હજાર અને અન્ય દાતાઓએ મિષ્ટ ભોજન અને સાદા ભોજનની તિથિનો લાભ લીધેલ. પૂ.જયંતિલાલ મ.સા.નું પ્રથમ ચાતુર્માસ ધોરાજીમાં થયેલ તે સ્મૃતિમાં દશેરાના જન્મદિનની ખુશાલીમાં અનંતભાઈ શાહે લાભ લીધેલ છે. સંઘપ્રમુખ શરદભાઈ દાસાણી, કમલભાઈ મોદી વગેરે સુંદર વ્યવસ્થા સંભાળે છે. રૂા.૧૦૦૦/- ના ગુણાંકમાં ગમે તેટલા ટિફિનનો લાભ લઈ શકાશે. વધુ વિગત માટે મો.૯૮૨૫૨ ૨૧૮૩૯નો સંપર્ક કરવો.
Trending
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ