પાટીદારોની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – વિશ્વઉમિયા ધામ દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજી મંદિરના જાસપુર સ્થિત ચલ મંદિર ખાતે નવરાત્રિના ૯ દિવસ પુજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતાથી રોજ સાંજે ૭ વાગ્યે પુજા થશે અને સાંજે ૭.૩૦ વાગ્યે આરતી થશે. કોરોના મહામારીને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે પુજા અને આરતીનો કાર્યક્રમ યોજાશે. વિશ્વ ઉમિયાધામ પરિસર ખાતે વધુમાં વધુ ૭૦ જેટલાં પરિવારો જ પુજા-આરતીમાં ભાગ લઇ શકશે. આરતી બાદ પેકેટમાં પેક કરેલો માતાજીનો પ્રસાદ આપવામાં આવશે. જગત જનની મા ઉમિયાના આ ભવ્ય પર્વ અને શક્તિ ઉપાસનાના દિવસોની આપ સૌ ને હાર્દિક શુભકામના.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત