Abtak Media Google News

ડ્રાયફ્રુટ એટલે કે સૂકામેવો જેને મીઠાઈઓમાં ભરપૂર પ્રમાણમાં નાખવામાં આવે છે.બધા જ સૂકામેવાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે.તેમાં પણ દરરોજ કીસમીસનું સેવન કરવાથી ઘણા બધા રોગોથી બચી શકાય છે.તો જાણીએ કીસમીસ ખાવાથી ક્યાં ફાયદા થઈ શકે છે :

૧. પાચનશકિત વધારે છે :

બેઠાળું જીવનમાં લોકોને અપચાની સમસ્યા વધુ હોય છે. કીસમીસના સેવનથી પાચનશકિત મજબૂત થાય છે ,પેટના રોગોમાં રાહત મળે છે અને અપચા જેવી સમસ્યા પણ દૂર થાય છે.

૨. બ્લપ્રેશરને કન્ટ્રોલ કરે છે :

કીસમીસનું દરરોજ સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકાય છે અને બ્લડપ્રેશરની સમસ્યાને નાબૂદ પણ કરી શકાય છે.

૩. મેદસ્વીપણું ઘટાડે છે :

કિસમિસ ડાયટમાં પણ ઉપયોગી છે. તેના સેવનથી વજન વધતું નથી અને તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

૪.લોહીની ઉણપ દૂર કરે છે :

શરીરમાં જ્યારે લોહીની ઉણપ થાય છે ત્યારે એનિમિયા નામનો રોગ થાય છે.શરીરમાં લોહીની ઉણપ અને એનિમિયા રોગથી રાહત મેળવવા માટે કીસમીસનું સેવન કરવું જોઈએ.

૫. હાડકા મજબૂત બને છે :

કીસમીસના સેવનથી હાડકા મજબુત બને છે તેથી નાના બાળકો અને વૃદ્ધોને કીસમીસનું સેવન કરવું જોઇએ.

૬.આંખોની રોશની વધે છે :

જે વ્યક્તિને આંખના નંબર હોય તેઓને કીસમીસનું સેવન કરવું જોઇએ કારણકે કીસમીસના સેવનથી આંખોની રોશની વધે છે.

૭.ઘૂંટણના દુખાવામાં રાહત આપે છે :

વધતી જતી ઉંમરમાં કારણે લોકોને ઘૂંટણના દુખાવાની સમસ્યા થતી હોય છે.દરરોજ કીસમીસના સેવનથી ઘૂંટણના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

૮.સ્ફૂર્તિ વધારે છે :

કીસમીસનું દરરોજ સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ વધે છે અને નવી ઊર્જાનો સંચાર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.