૨૬ જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ કરી છે કે તેમને રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવે. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બુધવાર સુધી ટળી ગઈ છે, પરંતુ કોર્ટે કહ્યું છે કે, દિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે, કારણ કે આ કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે.કોઈપણ રેલી અથવા એવો વિરોધ જેમાં ગણતંત્ર દિવસ સમારોહમાં અડચણ પેદા કરવાનો પ્રયાસ થાય છે એ દેશને શરમમાં મૂકનારો હશે. આનાથી દુનિયાભરમાં દેશની બદનામી થશે. કાયદો-વ્યવસ્થા ખરાબ થવાની સ્થિતિ બની શકે છે. અલગ અલગ રિપોર્ટ્સનો હવાલો આપીને કહેવાયું છે કે ઘણા ખેડૂત ગણતંત્ર દિવસની પરેડમાં ખલેલ પહોંચાડવા માટે લાલ કિલ્લા સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે.ખેડૂતનેતાઓનું કહેવું છે કે ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ દિલ્હીના આઉટર રિંગ રોડ પર તિરંગા સાથે કાઢવામાં આવશે. ગણતંત્ર દિવસ સમારોહમાં કોઈ અડચણ નહીં ઊભી કરાય. ગત સપ્તાહે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલનમાં શંકાસ્પદ સંગઠનોની સક્રિયતા પર પણ નોટિસ લીધી હતી. એક પિટિશનમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે આંદોલનમાં કેનેડાના સંગઠન શીખ ફોર જસ્ટિસના બેનર લહેરાવાઈ રહ્યાં છે. આશંકા છે કે ખાલિસ્તાન સમર્થક આ સંગઠન આંદોલન માટે ફંડ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ઘણી દેશવિરોધી ઘટનાઓમાં શંકાસ્પદ પણ આંદોલનને ઉશ્કેરવામાં લાગ્યું છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે આ વાતને ગંભીર ગણાવતાં કેન્દ્ર પાસે જવાબ માગ્યો હતો. ક્રાંતિકારી ખેડૂત યુનિયનના પ્રમુખ દર્શન પાલે કહ્યું હતું કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ એવા લોકો વિરુદ્ધ કેસ નોંધવાનો શરૂ કર્યો છે જે ખેડૂત આંદોલનનો ભાગ છે અથવા જેમને તેનું સમર્થન કર્યું છે. ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ૫૦થી વધુ નેતાઓ અને વેપારીઓને સમન મોકલ્યું છે, જેમાં પટિયાલામાં બબ્બર ખાલસાના આતંકી જગતારસિંહ હવારાના પિતા ગુરચરનસિંહ અને ખેડૂતનેતા બલદેવસિંહ સિરસા પણ સામેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ