સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ગઇકાલે જાહેર થયેલા પરિણામો અંતર્ગત ફરી એક વાર ભાજપની વિજય પતાકા લહેરાવાનો શ્રેય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ કાર્યકર્તા ઓ અને સમર્થકોને આપ્યો હતો. અને તેઓનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.રાજકોટ શહેરના મતદારોએ ૧૯૭૫ થી ૨૦૨૧ સુધીમાં ૪પ વર્ષ સુધી ભાજપ ઉપર વિશ્ર્વાસ મુકેલ છે. જે ફરીથી પાંચ વર્ષ માટે વિશ્ર્વાસ મૂકીને દેશમાં રેકોર્ડ બ્રેક તરફ લઇ જવા માટે રાજકોટના તમામ મતદારોનો ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ આભાર વ્યકત કર્યો હતો. લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યું છે કે ૨૦૧૫ની સાલમાં વિધાનસભા ૭૧માં વોર્ડ નંબર ૧૧, ૧ર અને ૧૮ ની બાર સીટમાંથી એક પણ સીટ મળી ન હતી. જે આ ચુંટણીમાં તમામ વોર્ડમાં જંગી બહુમતી મળી અને તેવી પ્રચંડ બહુમતિ આવવા બદલ તમામ ભાજપ કાર્યકર્તાઓ તથા સમર્થકોનો હદ્રયથી આભાર માનું છું અને લોકોએ જે વિશ્ર્વાસ મુકેલ છે. એટલી જ મોટી જવાબદારી પણ પક્ષની અને ચુંટાયેલા પ્રતિનિધિઓની રહેશે જે ઘ્યાને ઉપર લે અને જવાબદારી પૂર્વક લોકસેવામાં લાગી જાય તેમ નિવેદનના અંતે લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યું છે.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત