Abtak Media Google News

જામનગરના મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ રસીકરણ મેગા કેમ્પમાં જણાવ્યું હતું કે “કોરોના સામેની લડાઇમાં રસીએ જ મહત્વનું હથિયાર છે”

શહેરમાં હાલ વિવિધ સ્થળોએ વેક્સિનેશન કેમ્પના આયોજનો કરાઇ રહયા છે. વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સહયોગ સાધી ઝુંબેશ હાથ ધરી રહી છે ત્યારે આજે જામનગર મહાનગરપાલિકા તથા શંખેશ્વર પાર્શ્વનાથ યુવક મંડળ પટેલ કોલોનીના સંયુક્ત ઉપક્રમે માતુ વૃજકુંવરબેન સુંદરજી રતનસી સંઘવી, જૈન ક્ધયા છાત્રાલય ખાતે વિસ્તારના 400 થી વધુ લોકોને તેમજ જૈન સોશ્યલ ગ્રુપ જામનગર, નવાનગર અને સંગીની ફોરમ, નવાનગર તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે લોકાગચ્છની વાડી, ચાંદી બજાર ખાતે 300 થી વધુ લોકોને કોરોના વેક્સિન આપવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વિસ્તારના 45 વર્ષથી વધુના લોકોને રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Corona Ds Fmr
આ તકે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે હાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી એ આપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે.

વકીલ વીજકર્મીઓને રસીકરણ

જામનગરમાં કરોનાનો પ્રકોપ વધતા મહામારીને નાથવા તંત્ર અને સામાજીક સંસ્થાઓ દ્વારા સહિયારા પ્રયાસના ભાગ રૂપે વિવિધ સ્થળોએ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વકીલો, પીજીવીસીએલના કર્મચારીઓ તથા અન્ય લોકોએ ભય વગર રસી લીધી હતી. જામનગર મહાનગરપાલિકા તથા શંખેશ્વર પાર્શ્વનાથ યુવક મંડળ પટેલ કોલોનીના સંયુક્ત ઉપક્રમે શનિવારે માતુશ્રી વૃજકુંવરબેન સુંદરજી રતનસી સંઘવી, જૈન ક્ધયા છાત્રાલયમાં 400 થી વધુ લોકો માટે, જૈન સોશ્યલ ગ્રુપ, નવાનગર અને સંગીની ફોરમ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે લોકાગચ્છની વાડી, ચાંદી બજારમાં 300 થી વધુ લોકો માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.

જેલમાં બંધ 100 કેદીઓને કોરોના રસી અપાઇ

જામનગર જિલ્લામાં વધતા કોરોના સંક્રમણના પગલે રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે સામાન્ય લોકોની માફક જિલ્લા જેલમાં બંધ કેદીઓનું પણ રસીકરણ કરવામા આવ્યું હતું. જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષક પી.એચ.જાડેજા દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી જામનગર જિલ્લા જેલ ખાતે જેલના બંદિવાનોને કોવિડ-19 પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં 84 જેલના કાચા આરોપી, 15 પાકા કેદી, તથા પાસા અટકાયતી હેઠળના 01 એમ કુલ મળી 100 બંદિવાનોને કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.