Abtak Media Google News

હાલમાં, સમગ્ર દેશ કોરોના વાયરસ સામે સંઘર્ષ કરી રહ્યો છે. દરેક શહેર, દરેક ગલીમાં સેંકડો દર્દીઓ છે. કોરોના આપણને અઠવાડિયા સુધી ઘેરી તો લે છે પણ વઈ ગયા બાદ પણ ઘણી સમસ્યાઓ છોડી જાય છે. વાયરસમાંથી સ્વસ્થ થયા પછી, બીજી સમસ્યા દર્દીઓને પરેશાન કરી રહી છે તે નબળાઇ છે. મોટા ભાગના દર્દીઓની ફરિયાદ છે કે વિકનેશ આવી જાય છે, વારંવાર થાકી જવાય છે. કોવિડના હળવા લક્ષણોવાળા દર્દીઓ સ્વસ્થ થવા માટે લગભગ બે અઠવાડિયા લે છે, જ્યારે ગંભીર ચેપવાળા દર્દીઓ સ્વસ્થ થવા માટે લગભગ 4 અઠવાડિયા લે છે. પરંતુ કોરોનાવાયરસથી સ્વસ્થ થયા પછી પણ, મોટાભાગના લોકો શરીરમાં નબળાઇ અનુભવતા રહે છે. આવી સ્થિતિમાં, તેઓએ ખાવા પીવાની સાથે સાથે ઘણી આવશ્યક બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી તેઓ નબળાઇમાંથી બહાર ઝડપથી નીકળી શકે.

*વિટામિન સી યુક્ત ફળો ખાવ*

દાડમ, નારંગી, સફરજન અને પપૈયા જેવા ફળો વધુ ખાવા જોઈએ અથવા તેનું જ્યુસ પણ પી શકો છો. તે નબળાઇથી છુટકારો મેળવવામાં મોટી મદદ કરે છે.

*ગરમ દૂધ પીવાનું રાખો*

-રાત્રે સૂતા પહેલા દૂધ પીવો. દૂધ આપણાં હાડકાં મજબૂત કરવામાં તેમજ નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે.

*શાકભાજીનું વધુને વધુ સેવન કરો*

શાકભાજીનું સેવન શરીર માટે જરૂરી છે. સ્પિનચ, ગાજર, ટામેટાં, બીટના રસમાં વિટામિન અને ખનિજો ભરપુર માત્રામાં હોય છે, જે નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે.

– આહારમાં પ્રોટીન અને એન્ટીઓકિસડન્ટથી ભરપુર ખોરાકનો સમાવેશ કરો. ઉપરાંત, પાચન કરવામાં સરળ હોય એવા આહાર આરોગો કે જેથી કરીને પહેલેથી જ નબળા શરીરને ખોરાકને પચાવવા માટે ખૂબ મહેનત કરવી ન પડે.

*આ બાબતોને પણ ધ્યાનમાં રાખો*

તમે કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા પછી ડોકટરો દ્વારા ભલામણ કરવામાં આવતી મલ્ટિવિટામિન્સ દવા લેવાનું ચાલુ રાખો. જે નબળાઇ દૂર કરવામાં મદદ કરશે.

– પૂરતું પાણી પીવો, નાળિયેર પાણી પણ પીવું જોઈએ.

– કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ, ઘણા લોકોને કેટલીક સમસ્યાઓ રહે છે. તેથી થોડા દિવસો માટે તમારા શરીર પર વધારે દબાણ ન રાખો. થોડું ચાલો અને થોડી કસરત કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.